Ahmedabad,તા.૧૨
બુધવારે અમદાવાદ એરપોર્ટથી લંડન જતું એર ઇન્ડિયાનું વિમાન ઉડાન ભર્યાના થોડા સમય પછી જ અકસ્માતનો ભોગ બન્યું હતું. આ વિમાનમાં ૨૪૨ મુસાફરો સવાર હતા.
ક્રેશ થયેલ વિમાન કેપ્ટન સુમિત સભરવાલ ઉડાડી રહ્યા હતા. તેઓ ૮૨૦૦ કલાકનો અનુભવ ધરાવતા ન્ઝ્ર છે. કો-પાઇલટને ૧૧૦૦ કલાકનો ઉડાનનો અનુભવ હતો. ્ઝ્રના જણાવ્યા અનુસાર, વિમાને અમદાવાદથી રનવે ૨૩ પરથી ૧૩૩૯ ૈંજી્ (૦૮૦૯ ેં્ઝ્ર) વાગ્યે ઉડાન ભરી હતી. રનવે ૨૩ પરથી ઉડાન ભર્યા પછી તરત જ ક્રેશ થયું હતું. અકસ્માત સ્થળ પરથી ધુમાડાના ગોટેગોટા નીકળતો જોવા મળ્યા હતા. ગુરૂવારે બપોરે અમદાવાદ એરપોર્ટ નજીક મેઘાણી નગર વિસ્તારમાં આ વિમાન ક્રેશ થયું. તેમાં ૨૪૨ મુસાફરો સવાર હતા. પોલીસે આ માહિતી આપી. ફાયર ઓફિસર જયેશ ખાડિયાએ જણાવ્યું હતું કે વિમાન ક્રેશ થયા પછી તેમાં આગ લાગી હતી અને આગ ઓલવવા માટે ફાયર એન્જિનોને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. આ વિમાન લંડન જઈ રહ્યું હતું. આ અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ થયા હોવાની આશંકા છે. અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકે જણાવ્યું હતું કે, “વિમાન એરપોર્ટ નજીક મેઘાણી નગરમાં ક્રેશ થયું હતું.”
અમદાવાદમાં એર ઈન્ડિયાના વિમાન દુર્ઘટના સ્થળે બચાવ અને રાહત કાર્ય ચાલી રહ્યું છે. ઘાયલ મુસાફરોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવા માટે ગ્રીન કોરિડોર બનાવવામાં આવી રહ્યો છે.