Morbi.તા.30
વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આપઘાત કર્યાની સુસાઈડ નોટ બાદ ફરિયાદ
મોરબીના નવલખી રોડ પર માર્કેટિંગ એજન્સીની ઓફિસમાં દવા પી વેપારી યુવાને આપઘાત કર્યો હતો જે આપઘાતના બનાવમાં મૃતક પાસેથી સુસાઈડ નોટ મળી આવી હતી જેમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી તેઓએ દવા પી આયખું ટૂંકાવી લીધાનું લખેલ હતું જેને પગલે પોલીસે ૧૧ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
મોરબીના નવલખી રોડ પર વિષ્ણુનગરના રહેવાસી જીજ્ઞેશ હરેશભાઈ મકવાણાએ આરોપીઓ નીલેશ ભીમાણી, રવિ દેવાભાઈ ડાંગર, પ્રકાશ મેપાભાઈ પીથામલ, રવિ રાજેશભાઈ જાલરીયા, હિતેન્દ્રઇન્હ રાજેન્દ્રસિંહ જાડેજા, યોગીરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (પોલીસ), કિરીટસિંહ જાડેજા, મયુરસિંહ બહાદુરસિંહ સરવૈયા, ભગીરથસિંહ જનકસિંહ જાડેજા, પ્રશાંતભાઈ ચીખલીયા અને ઋષિ મહેતા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના ભાઈ નીલેશભાઈ હરેશભાઈ મકવાણા (ઉ.વ.૪૦) વાળા ગત તા. ૧૧ એપ્રિલના રોજ હિતેશ માર્કેટિંગ સેલ્સ એજન્સી ઓફિસમાં જંતુનાશક દવા પી લેતા મોત થયું હતું જે બનાવ સમયે મોટા ભાઈ નીલેશભાઈએ ફોન કરી જાણ કી હતી કે હવે હું કંટાળી ગયો છું દવા પી લીધી છે તેવો ફોન આવતા ફરિયાદી અને પિતા બંને ભીની ઓફિસે ગયા હતા જ્યાં દવા પી લીધી હોવાથી સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા જ્યાં સારવારમાં મૃત્યુ થયું હતું
ભાઈના પાકીટમાંથી ત્રણ પાનાની સુસાઈડ નોટ મળી આવી હતી જેમાં તેની એજન્સીનો હિસાબ કિતાબ અને વ્યાજે લીધેલ રૂપિયા બાબતના નામ લખ્યા હતા તેઓએ વ્યાજે લીધેલ રકમ કરતા વધુ રૂપિયા આપી દીધા છતાં હેરાન પરેશાન કરતા મરવા મજબુર કર્યાનું લખ્યું હતું મૃતકે આરોપીઓ પાસેથી લીધેલ વ્યાજની રકમ કરતા વધારે રૂપિયા આપી દીધા છતાં હેરાન પરેશાન કરી મરવા મજબુર કર્યાનું સુસાઈડ નોટમાં લખ્યું હતું તેમજ વસંતભાઈ ગંગારામ બાવરવા, પ્રભુભાઈ અમરશીભાઈ ભૂત, અર્જુનભાઈ લાભુભાઈ બાલાસરા અને મનદીપસિંહ કિરીટસિંહ ઝાલા પાસેથી રૂપિયા લેવાના હતા તે મારા પરિવારને પાછા અપાવજો તેમ લખેલ હતું આમ આરોપીઓની હેરાનગતિથી દવા પી મોતને વ્હાલું કર્યું હતું મોરબી બી ડીવીઝન પોલીસે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે