Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    રાજ્યના ધારાશાસ્ત્રી-વકીલોના વેલ્ફેર ફંડ માટે પાંચ કરોડ રૂપિયાની સહાયનો ચેક

    July 22, 2025

    Bhavnagarમાં લોજ માલિકની હત્યા,જમવા બાબતે બબાલ કરી છરી-ધોકા કાઢી બે ગ્રાહકો તૂટી પડ્યા

    July 22, 2025

    Chaitar Vasava નો જેલવાસ લંબાયોઃ જામીન અરજી પર હવે ૫મી ઓગસ્ટે ગુજરાત હાઈકોર્ટ નિર્ણય લેશે

    July 22, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • રાજ્યના ધારાશાસ્ત્રી-વકીલોના વેલ્ફેર ફંડ માટે પાંચ કરોડ રૂપિયાની સહાયનો ચેક
    • Bhavnagarમાં લોજ માલિકની હત્યા,જમવા બાબતે બબાલ કરી છરી-ધોકા કાઢી બે ગ્રાહકો તૂટી પડ્યા
    • Chaitar Vasava નો જેલવાસ લંબાયોઃ જામીન અરજી પર હવે ૫મી ઓગસ્ટે ગુજરાત હાઈકોર્ટ નિર્ણય લેશે
    • CGST officers ઓની બદલીઓથી ડિપાર્ટમેન્ટમાં ચર્ચાનો માહોલ, ૪૩ ઇન્સ્પેક્ટર અને ૨૯ સુપરિન્ટેન્ડેન્ટની બદલી
    • 23 જુલાઈનું રાશિફળ
    • 23 જુલાઈનું પંચાંગ
    • Pakistan માં ખોટા અભિમાન માટે એક યુવક અને એક મહિલાની નિર્દયતાથી હત્યા કરવામાં આવી
    • Pakistanમાં લઘુમતીઓ માટે જીવવું મુશ્કેલ, ઈશનિંદાના આરોપમાં ખ્રિસ્તી વ્યક્તિની ધરપકડ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 23
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Chaitar Vasava નો જેલવાસ લંબાયોઃ જામીન અરજી પર હવે ૫મી ઓગસ્ટે ગુજરાત હાઈકોર્ટ નિર્ણય લેશે
    અમદાવાદ

    Chaitar Vasava નો જેલવાસ લંબાયોઃ જામીન અરજી પર હવે ૫મી ઓગસ્ટે ગુજરાત હાઈકોર્ટ નિર્ણય લેશે

    Vikram RavalBy Vikram RavalJuly 22, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.૨૨

    આ જુલાઈ મહિનાની શરૂઆતમાં ચર્ચામાં આવેલ ભાજપના તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા તથા આપના ધારાસભ્ય ચૈતર વસાવાની કેસ મામલે ચૈતર વસાવાની મુશ્કેલીઓમાં વધારો થયો છે. કારણ કે, ગુજરાત હાઈકોર્ટમાં તેમની જામીન અરજી પરની સુનાવણી મુલતવી રાખવામાં આવી છે, જેથી તેમણે હજુ જેલમાં જ રહેવું પડશે. ગુજરાત હાઈકોર્ટે આગામી સુનાવણી માટે ૫ ઓગસ્ટ, ૨૦૨૫ની તારીખ નિશ્ચિત કરી છે.

    ૫ જુલાઈ, ૨૦૨૫ના રોજ ડેડીયાપાડામાં તાલુકા સંકલનની બેઠક દરમિયાન ભાજપના તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા અને આપ ધારાસભ્ય વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. જે બાદ ચૈતર વસાવા પર આરોપ લાગ્યો કે, ’તેમણે સંજય વસાવા પર મોબાઈલ ફોન અને કાચનો ગ્લાસ ફેંક્યો હતો.’ જેથી સંજય વસાવાની ફરિયાદને આધારે, પોલીસે હત્યાના પ્રયાસ સહિતનો ગુનો નોંધી ચૈતર વસાવાની ધરપકડ કરી હતી.

    આ કેસમાં ચૈતર વસાવાને સૌપ્રથમ રાજપીપળા કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. આ સમયે ચૈતર વસાવાના વકીલ અને ગોપાલ ઈટાલિયાને પોલીસે રોકતા પોલીસ અને વકીલ વચ્ચે તુતુમેમે સર્જાઈ હતી. જેથી કોર્ટની બહાર પણ મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને રાજકારણ પણ ગરમાયું હતું. દરમિયાન ચૈતર વસાવાની જામીન અરજી પણ રાજપીપળા કોર્ટે ફગાવી દીધી હતી અને પોલીસ દ્વારા માંગવામાં આવેલા ૫ દિવસના રિમાન્ડને પણ નકારી કાઢ્યા હતા. આ પછી, આખો મામલો ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો છે.

    આ મામલે આજે ગુજરાત હાઈકોર્ટમાં ચૈતર વસાવાની જામીન અરજી પરની સુનાવણી ચાલી રહી હતી, જેને હાલ આગામી ૫ ઓગસ્ટ, ૨૦૨૫ સુધી સ્થગિત રાખવામાં આવી છે, જેથી તેમણે હજુ જેલમાં જ રહેવું પડશે. ત્યારે આગામી સુનાવણી માટે ચૈતર વસાવાના વકીલે પણ હાઈકોર્ટમાં જામીન માટે પૂરેપૂરો પ્રયાસ કરવાની વાત કહી છે.

    નોંધનીય છે કે, આ પહેલા પણ ચૈતર વસાવા પર અનેક ગંભીર આરોપો હેઠળ કેસ નોંધાયેલા છે.  વન અધિકારીને ધમકાવવા અને ખંડણી વસૂલવામાં તેઓ લગભગ છ અઠવાડિયા જેલમાં રહ્યા હતા. આ ઉપરાંત, ભરૂચના અંકલેશ્વર ય્ૈંડ્ઢઝ્રમાં બોઈલર બ્લાસ્ટની ઘટના બાદ ઔદ્યોગિક એકમમાં અનધિકૃત પ્રવેશ અને અધિકારીઓને ફરજ બજાવતા અટકાવવાના આરોપોમાં પણ તેમની ધરપકડ થઈ હતી. ત્યારે હાલ તેમનો ત્રીજો જેલવાસ ચાલી રહ્યો છે.

    તાજેતરના કેસમાં રાજકીય ગરમાયું છે અને આપના નેતાઓએ ચૈતર વસાવાને ખોટા કેસમાં ફસાવવાનો આરોપ લગાવ્યો છે. આ તરફ આગામી ૨૪ જુલાઈએ રોજ મોડાસામાં “ખેડૂત-પશુપાલક મહાપંચાયત”નું આયોજન થવાનું છે, જેમાં પાર્ટીના રાષ્ટ્રીય નેતા અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન હાજરી આપશે. ત્યારે ચૈતર વસાવાનો મુદ્દો પણ ચર્ચાશે તેવી પૂર્ણ સંભાવનાઓ છે.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    રાજ્યના ધારાશાસ્ત્રી-વકીલોના વેલ્ફેર ફંડ માટે પાંચ કરોડ રૂપિયાની સહાયનો ચેક

    July 22, 2025
    અમદાવાદ

    CGST officers ઓની બદલીઓથી ડિપાર્ટમેન્ટમાં ચર્ચાનો માહોલ, ૪૩ ઇન્સ્પેક્ટર અને ૨૯ સુપરિન્ટેન્ડેન્ટની બદલી

    July 22, 2025
    મનોરંજન

    Colors Gujarati રજૂ કરે છે એક પારિવારીક ધારાવાહિક ‘કંકુ-રંગ પારકો’

    July 21, 2025
    અમદાવાદ

    Smart Demand : ગુજરાત મોબાઈલ ગ્રાહકોની સંખ્યા 4 લાખ વધી

    July 21, 2025
    અમદાવાદ

    Sanand Resort માં હાઈપ્રોફાઈલ ‘શરાબ પાર્ટી’ પર દરોડો

    July 21, 2025
    અમદાવાદ

    ટ્રેડીંગના નામે મહિલાએ રોકાણકારોને રૂપિયા 2.20 કરોડનો ચુનો લગાવ્યો

    July 19, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    રાજ્યના ધારાશાસ્ત્રી-વકીલોના વેલ્ફેર ફંડ માટે પાંચ કરોડ રૂપિયાની સહાયનો ચેક

    July 22, 2025

    Bhavnagarમાં લોજ માલિકની હત્યા,જમવા બાબતે બબાલ કરી છરી-ધોકા કાઢી બે ગ્રાહકો તૂટી પડ્યા

    July 22, 2025

    CGST officers ઓની બદલીઓથી ડિપાર્ટમેન્ટમાં ચર્ચાનો માહોલ, ૪૩ ઇન્સ્પેક્ટર અને ૨૯ સુપરિન્ટેન્ડેન્ટની બદલી

    July 22, 2025

    23 જુલાઈનું રાશિફળ

    July 22, 2025

    23 જુલાઈનું પંચાંગ

    July 22, 2025

    Pakistan માં ખોટા અભિમાન માટે એક યુવક અને એક મહિલાની નિર્દયતાથી હત્યા કરવામાં આવી

    July 22, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    રાજ્યના ધારાશાસ્ત્રી-વકીલોના વેલ્ફેર ફંડ માટે પાંચ કરોડ રૂપિયાની સહાયનો ચેક

    July 22, 2025

    Bhavnagarમાં લોજ માલિકની હત્યા,જમવા બાબતે બબાલ કરી છરી-ધોકા કાઢી બે ગ્રાહકો તૂટી પડ્યા

    July 22, 2025

    CGST officers ઓની બદલીઓથી ડિપાર્ટમેન્ટમાં ચર્ચાનો માહોલ, ૪૩ ઇન્સ્પેક્ટર અને ૨૯ સુપરિન્ટેન્ડેન્ટની બદલી

    July 22, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.