Surendranagar,તા.01
ગુજરાતમાં ચાંદીપુરાને પ્રસરતો અટકાવવા માટે આરોગ્ય વિભાગના વિવિધ દાવા અને વાસ્તવિક્તામાં ઘણું અંતર હોય તેમ જણાય છે. આ દરમિયાન સુરેન્દ્રનગરના વસ્તડી ગામના 11 વર્ષના બાળકનું ચાંદીપુરાના કારણે મૃત્યુ થયું હતું. આ બાળકની રાજકોટની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. નોંધનીય છે કે, બે દિવસ પહેલાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
પાટણમાં 7 વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ
સુરેન્દ્રનગર જિલ્લામાં ચાંદીપુરાથી અત્યાર સુધીમાં 2 બાળકોના મોત થયા છે. તો બીજી તરફ આ વાયરસથી સંક્રમિત હજુ ત્રણ બાળકો સારવાર હેઠળ છે. જ્યારે પાટણના સરસ્વતી તાલુકાના મોટા નાયતા ગામે રહેતા 7 વર્ષના બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બાળકને તાવ આવતાં ખાનગી હૉસ્પિટલ અને ત્યારબાદ ધારપુર સિવિલ હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.