Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Surendaranagar: ડેન્ગ્યુ, મેલેરિયા અને વાયરલ ઈન્ફેક્શનના કેસમાં થયો વધારો

    November 6, 2025

    Surendaranagar: લીંબડી હાઇવે પર ડમ્પરમાં અચાનક આગ ભભૂકી

    November 6, 2025

    રવિવારે Junagadh મુકિત દિને યુનિટી માર્ચ પદયાત્રા યોજાશે

    November 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Surendaranagar: ડેન્ગ્યુ, મેલેરિયા અને વાયરલ ઈન્ફેક્શનના કેસમાં થયો વધારો
    • Surendaranagar: લીંબડી હાઇવે પર ડમ્પરમાં અચાનક આગ ભભૂકી
    • રવિવારે Junagadh મુકિત દિને યુનિટી માર્ચ પદયાત્રા યોજાશે
    • Junagadh: ધારાસભ્ય સંજય કોરડીયા પાસે ખંડણી માંગનાર સમીર મુંબઈ એરપોર્ટમાંથી ઝડપાયો
    • Junagadh: કેશોદનાં પાણખાણ ગામે યુવાનનો આપઘાત
    • Junagadh: જંગલમાંથી હેમખેમ મળેલા લઘુ મહંત મહાદેવભારતી સારવારમાં
    • Junagadh: વંથલીના ધંધુસરની સીમમાંથી વાયરની ચોરી
    • Keshod પોલીસે ગેરકાયદે લાકડા ભરેલ ટ્રક ડીટેઇન કર્યો: વન તંત્ર અજાણ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, November 6
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»148મી રથયાત્રા: ગજરાજ બેકાબૂ થતાં અફરાતફરી, મંજૂરી વગર ઉડતું ડ્રોન તોડી પડાયું
    અમદાવાદ

    148મી રથયાત્રા: ગજરાજ બેકાબૂ થતાં અફરાતફરી, મંજૂરી વગર ઉડતું ડ્રોન તોડી પડાયું

    Vikram RavalBy Vikram RavalJune 27, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.27

    આજે અષાઠી બીજ એટલે 27 જૂન, 2025ના રોજ ગુજરાત સહિત દેશભરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે. ત્યારે અમદાવાદમાં 148મી રથયાત્રા યોજાઈ રહી છે. ‘જય રણછોડ, માખણચોર’ના જયધોષ સાથે પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજી, તેમના ભાઇ બલરામજી અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળી રહ્યા છે. ચોમેર હર્ષ-ઉલ્લાસનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અમદાવાદના પોલીસતંત્રએ જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. ભાવિકોને કોઈ અગવડતા ન પડે તે માટેની જરૂરી તમામ બાબતોનું જીણવટપૂર્વકનું ધ્યાન રાખવામાં આવ્યું છે. અમદાવાદમાં જગન્નાથ ભગવાને આભૂષણ અને સોનાનો મુગટ ધારણ કર્યા છે, ત્યારે દર્શન માટે ભક્તોની ભીડ જોવા મળી રહી છે. ખાડિયા નજીક ડી.જે.ના કારણે ગજરાજ બેકાબૂભગવાન જગન્નાથની રથયાત્રાનું રંગેચંગે આગમન થયું છે. જોકે, આ દરમિયાન વચ્ચે એક વિઘ્ન આવ્યું છે. રથયાત્રામાં સામેલ હાથીમાંથી ત્રણ હાથી બેકાબૂ બન્યા હતા. અચાનક જ આ હાથી રથયાત્રાનો રૂટ છોડીને અન્ય પોળમાં ઘૂસી ગયા હતા. હાથીને ભાગતા આવતા જોઈ લોકોમાં પણ નાસભાગ મચી ગઈ હતી. જેમાં ત્રણ જેટલાં લોકો ઈજાગ્રસ્ત થયા છે.. મળતી માહિતી મુજબ ડી.જેના કારણે ખાડિયા વિસ્તારમાં હાથી બેકાબૂ બન્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જોકે, પોલીસની સમયસૂચકતાના કારણે કોઈ અફરાતફરી નહતી મચી અને ગણતરીની મિનિટોમાં મહાવતે હાથી પર કાબૂ મેળવી લીધો હતો. પોલીસની કામગીરીના કારણે કોઈ મોટી જાનહાનિ ટળી હતી. મળતી માહિતી મુજબ, ખાડિયા ઘાંચીની પોળ પાસેથી પસાર થતી વખતે ડી.જે અને વધુ પડતા લાઉડ સ્પીકરના કારણે ગજરાજ ભડક્યા હતા, જેના કારણે બેથી ત્રણ લોકોને ઈજા પહોંચી હતી. મહાવત અને અને સુરક્ષા કર્મચારીઓએ મહા મહેનતે ગજરાજોને કાબૂમાં લીધા હતા. ત્યારબાદ એક નર અને બે માદા હાથીને કવર કરીને સાઇડમાં કરી દેવાયા છે અને રથયાત્રાના રૂટમાં જોડવાથી બાકાત કરવામાં આવ્યા છે. હાલ, સમગ્ર ઘટનામાં ટીવી ચેનલના કેમેરામેન ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી છે. મહત્ત્વપૂર્ણ છે કે, દર વર્ષ અષાઢ સુદ બીજના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથ નીજ મંદિરમાંથી બહાર આવી નગરચર્યા પર જાય છે. ભગવાનના મોસાળ સરસપુરમાં ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે જગન્નાથજીનું મામેરું થાય છે. લાખો સંતો-ભક્તો સરસપુરની પોળમાં જમણવાર કરે છે અને ત્યારબાદ રથયાત્રા નીજ મંદિર પરત આવવા પ્રસ્થાન થાય છે. હાથી, ટેબ્લો, અખાડા, વેશભૂષા અને ભજન મંડળીઓ રથયાત્રામાં જોડાઈને ખાસ આકર્ષણ જમાવશે. આમ સમગ્ર રથયાત્રા ભક્તિ સાથે આનંદ અને ઉલ્લાસનો પર્વ બની રહે છે. રથયાત્રામાં દેશભરમાંથી અઢી હજારથી વધુ સાધુ-સંતો રથયાત્રામાં જોડાશે. રથયાત્રા પહેલા જળયાત્રા, નેત્રોત્સવ વિધિ યોજાઈ ચૂકી છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રાના લાઈવ દર્શન તમે https://www.jagannathjiahd.org/ પર જોઈ શકો છો.

    148th Rath Yatra Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    ગર્લફ્રેન્ડ એ `રીલેટીવ’ નથી : કાનૂન 498A હેઠળ કામ ચલાવી શકાય નહી : High Court

    November 6, 2025
    ગુજરાત

    દિવાળી બાદ Income Tax નું પ્રથમ દરોડા ઓપરેશન : જમીનના બે ધંધાર્થી ગ્રુપ ઝપટે

    November 4, 2025
    અમદાવાદ

    Ahmedabad માં ઇડી ત્રાટકી : ગેરકાનુની બેટીંગ રેકેટનો પર્દાફાશ : રૂા. 1000 કરોડની હેરાફેરી

    November 4, 2025
    વ્યાપાર

    ACC એ Q2 અને H1 FY’26 માં નોંધપાત્ર પર્ફોર્મન્સ આપ્યું.

    October 31, 2025
    અમદાવાદ

    Ahmedabad ના બોપલમાં સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું

    October 31, 2025
    અમદાવાદ

    જેલવાસી યુગલને IVF ટ્રીટમેન્ટ માટે ગુજરાત હાઈકોર્ટે પેરોલ આપ્યા

    October 31, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Surendaranagar: ડેન્ગ્યુ, મેલેરિયા અને વાયરલ ઈન્ફેક્શનના કેસમાં થયો વધારો

    November 6, 2025

    Surendaranagar: લીંબડી હાઇવે પર ડમ્પરમાં અચાનક આગ ભભૂકી

    November 6, 2025

    રવિવારે Junagadh મુકિત દિને યુનિટી માર્ચ પદયાત્રા યોજાશે

    November 6, 2025

    Junagadh: ધારાસભ્ય સંજય કોરડીયા પાસે ખંડણી માંગનાર સમીર મુંબઈ એરપોર્ટમાંથી ઝડપાયો

    November 6, 2025

    Junagadh: કેશોદનાં પાણખાણ ગામે યુવાનનો આપઘાત

    November 6, 2025

    Junagadh: જંગલમાંથી હેમખેમ મળેલા લઘુ મહંત મહાદેવભારતી સારવારમાં

    November 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Surendaranagar: ડેન્ગ્યુ, મેલેરિયા અને વાયરલ ઈન્ફેક્શનના કેસમાં થયો વધારો

    November 6, 2025

    Surendaranagar: લીંબડી હાઇવે પર ડમ્પરમાં અચાનક આગ ભભૂકી

    November 6, 2025

    રવિવારે Junagadh મુકિત દિને યુનિટી માર્ચ પદયાત્રા યોજાશે

    November 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.