માતૃદેવો ભવઃ પિતૃદેવો ભવઃ ના શ્લોકોથી આપણા ભારતવાસીઓની સવાર ઉગતી હતી. ગુરૂ અને ભગવાનના નિત્ય દર્શન કરીને જ પછી આપણા વડીલો પોતાના વ્યવસાયનો પ્રારંભ કરતા હતા. આ સંસ્કારોનો આપણને વારસો સાંપડયો છે એટલે જ આ આધુનિક યુગમાં પણ આપણા સંસ્કારોના દર્શન આપણી યુવાપેઢી અને બાળકોમાં પણ થાય છે. અને ખરેખર એ જ આપણો વારસો અને સાચી સંપત્તિ છે અને તેને આપણે જાળવી પણ રાખવી આવશ્યક છે.
હિન્દુ પંચાંગ પ્રમાણે અષાઢ સુદ એકાદશીથી કારતક સુદ એકાદશીના સમયગાળાને આપણે ચાતુર્માસ કહેવામાં આવે છે. અને આ ચાર મહિના સુધી શ્રદ્ધા અને મહાત્મ્યના કારણે મંદિરોમાં ભક્તિના નાદ સવિશેષ ગુંજતા રહે છે.
– પ્રાર્થના એક ગુણ છે, એક કાર્ય નહીં
સદ્ગુરુ લોકોએ આ સમજવાની જરૂર છે કે જેનાથી ફર્ક પડે છે તે પ્રાર્થના નથી, જેનાથી ફર્ક પડે છે એ પ્રાર્થનામય હોવાનો ગુણ છે. પ્રાર્થનાની ક્રિયા નહિ. સામાન્ય રીતે, જે રીતે આપણે પ્રાર્થનાને સમજીએ છીએ તે એ છે કે તે કોઈની સાથે વાત કરવાનો એક પ્રયત્ન છે – સર્જન કે ભગવાન સાથે વાત કરવાનો એક પ્રયત્ન. તમે એમને કહેવાનો પ્રયત્ન કરો છો કે તેમણે શું કરવું જોઈએ, અથવા તમે એમનો આભાર માનવાનો પ્રયત્ન કરો છો કેમ કે તેમણે તમારી વિનંતીઓ અને અરજીઓ સાંભળી લીધી. જો તમે જેમની વાત કરો છો તે ખરેખર ઈશ્વર છે, તો તમારું એમને કહેવું કે તેમણે શું કરવું જોઈએ એ મૂર્ખતા છે. અને જો તેઓ ન જાણતા હોય કે શું કરવું જોઈએ, તો તેમની સાથે સંબંધ રાખવાનો કોઈ મતલબ નથી. જો ભગવાન ન જાણતા હોય કે શું કરવું જોઈએ, તો તમે એમની પાસે શું કરવા જવા માંગો છો ? જો તેઓ જાણતા હોય કે શું કરવું જોઈએ, તો તમારે તમારું મોઢું ખોલવાની શું જરૂર છે ?
પ્રાર્થના અને ધ્યાન વચ્ચે આ મૂળભૂત તફાવત છે. પહેલામાં, તમે ભગવાન સાથે વાત કરવાનો પ્રયત્ન કરો છો. બીજામાં, તમે બસ જુઓ છો કે સર્જકને કેવી રીતે સાંભળવા. સાંભળવું એ વાત કરવા કરતાં ઘણું વધુ અર્થપૂર્ણ છે કારણ કે સાંભળવું એ બોધ છે. જ્યારે તમે જાણતા હોવ કે તમે અજ્ઞાાની છો, તો બોલવંક બસ બકવાસ છે. તમે જેટલું ઓછું બોલો એટલું સારુ