Junagadh,તા.05
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કમોસમી વરસાદના પગલે ખેત પાકોની નુકસાનીનો પ્રત્યક્ષ ચિતાર મેળવવા માટે જૂનાગઢના માળીયા હાટીના તાલુકાના જુથળ ગામના ખેડૂતના ખેતરે પહોંચ્યા હતા.બાદમાં પાણીધ્રા ગામની પ્રાથમિક શાળાના પરિસરમાં ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. મુખ્યમંત્રીએ ખેડૂતોને સધિયારો આપતા કહ્યું કે ખેડૂતોએ ખેતી પાક માટે ખૂબ મહેનત કરી છે.
સરકાર ખેડૂતોની ચિંતા કરી રહી છે. આ આપદામાં રાજય સરકાર ખેડૂતોની સાથે છે. ખેડૂતોને સહાયરૂપ બનવા માટે સરકાર ખેડૂતોની જોડે ઉભી છે. વહેલી તકે ખેડૂતોને મદદરૂપ બનવા માટે સહાય જાહેર કરાશે.

