Gandhinagar તા.5
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં મેદસ્વિતા સામે અભિયાન છેડવા આહવાન કર્યુ હતું. દેશભરમાં ચિંતાનો વિષય બની રહેલી મેદસ્વિતા તથા તેને કારણે વધતી બિમારી સામે વડાપ્રધાને આરોગ્ય પ્રત્યે જાગૃત થવાનુ આહવાન કર્યુ હતું. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પડકાર ઉઠાવી લીધો હતો અને બે મહિનામાં ચાર કિલો વજન ઓછુ કર્યું છે.
મેદસ્વિતાને કારણે ડાયાબીટીસ, હૃદયરોગ તથા જીવનશૈલી સંબંધી બિમારીઓ વધતી રહી છે નાની ઉંમરના લોકોમાં પણ આવા રોગ પેશી રહ્યા છે.જયારે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આરોગ્યની રીતે ‘ફીટ’ રહેવા તથા તે માટે મેદસ્વિતાથી સાવધ રહેવાનું આહવાન કર્યુ હતું. ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોએ ચેલેન્જ ઉપાડીને આરોગ્ય પ્રત્યે વધુ સજાગ બનવાનું શરૂ કર્યુ હતું.
મુખ્યમંત્રી તરીકેની જવાબદારી નિભાવવામાં સમય કાઢવાની મુશ્કેલી હોવા છતાં ભૂપેન્દ્ર પટેલે નિયમીત રીતે યોગ તથા પ્રાણાયામ શરૂ કર્યા હતા. ઉપરાંત ભોજન માટેનો ડાયેટ પ્લાન અમલમાં મુકયો હતો. પરીણામે છેલ્લા બે મહિનામાં ચાર કિલો વજન ઉતરી ગયુ છે.ખુદ પોતાને આરોગ્યલક્ષી સારા પરીણામો મળ્યા છે હવે ગુજરાતમાં મેદસ્વિતા મુકિત માટેનું અભિયાન વધુ તેજ અને આક્રમક બનાવવાનું શરૂ થયુ છે.