Morbi,તા.09
વાંકાનેરના પંચાસર રોડ પર પરિણીતાએ આપઘાત કરી લીધો હતો જે બનાવ મામલે મૃતકના પિતાએ પતિ સહિતના સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે મરવા મજબુર કર્યાની પોલીસ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે
વેરાવળ તાલુકાના નાવદ્રાના રહેવાસી અરજણભાઈ માંડાભાઈ ભરડાએ આરોપીઓ નીલેશભાઈ મેણશીભાઈ કરગઠીયા, અલ્પેશ મેણશીભાઈ કરગઠીયા રહે બંને દુધાળા ગીર તા. માળિયા હાટીના અને સંજય રાણાભાઇ રાઠોડ રહે ખેરા તા. માળિયા હાટીના એમ ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીની જસવંતીબેનના લગ્ન દુધાળા ગીર ગામના નીલેશ કરગઠીયા સાથે ફેબ્રુઆરી ૨૦૨૫ માં થયા હતા લગ્ન બાદ પતિ નીલેશભાઈ ભાઈ અલ્પેશ અને તેના બનેવી સંજય રાઠોડ સાથે રહેવા આવી ગયા હતા તા. ૨૬ માર્ચના રોજ સાંજે વાડીએ કામ કરતો હતો ત્યારે વેવાઈએ ફોન કરી તમારી દીકરી જસવન્તીએ ગળેફાંસો ખાઈ લીધો છે તેવો ફોન કરી જાણ કરી હતી હોસ્પિટલ ગયા હતા જ્યાં દીકરીના મૃતદેહને પીએમ રૂમમાં રાખ્યો હતો
આમ આરોપી પતિ નીલેશ કરગઠીયા, તેના ભાઈ અલ્પેશ ને બનેવી સંજય રાઠોડ એમ ત્રણેય ઇસમોએ કોઈ કારણોસર માનસિક દુખ ત્રાસ આપી મરવા મજબુર કરતા ફરિયાદીની દીકરીએ પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે