Morbi,તા.05
મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે સંવિધાન બચાવો યાત્રા યોજાઈ હતી મોરબીમાં આયોજિત સંવિધાન બચાવો યાત્રામાં પ્રદેશ કોંગ્રેસ અગ્રણી અને જીલ્લા કોંગ્રેસના ઓબ્ઝર્વર ડો. દિનેશભાઈ પરમાર, AICC પ્રતિનિધિ તરીકે બી વી શ્રીનિવાસ, વાલજીભાઈ, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા અને શહેર કોગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ અને કાર્યકરો જોડાયા હતા
સંવિધાન બચાવો યાત્રામાં સરકાર દ્વારા સંવિધાનની ઉપેક્ષા કરવામાં આવી રહી છે જે મામલે કોંગ્રેસ ગંભીરતાથી વિચારી રહી હોવાનું જણાવ્યું હતું સરકારને ગરીબી, બેરોજગારી, મોંઘવારી, શિક્ષણનો વેપાર સહિતના મુદા નજરે પડતા નથી કાયદો અને વ્યવસ્થા સ્થિતિ કથળી ગઈ છે પ્રજા હેરાન પરેશાન છે પરંતુ સરકાર મંદિર-મસ્જીદમાંથી બહાર આવતી નથી જેથી સંવિધાન બચાવો યાત્રા યોજવામાં આવી હતી