Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    સૌરાષ્ટ્રમાં માવઠાનો માર યથાવત: Gir Somnath જિલ્લામાં 5 થી 8 ઇંચ વરસ્યો

    October 29, 2025

    27 % બેઠકો OBC અનામત : છ મનપાની ચૂંટણીનું રોટેશન જાહેર

    October 29, 2025

    Gaza માં પાક. સેનાના 20000 જવાનો તૈનાત થશે

    October 29, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • સૌરાષ્ટ્રમાં માવઠાનો માર યથાવત: Gir Somnath જિલ્લામાં 5 થી 8 ઇંચ વરસ્યો
    • 27 % બેઠકો OBC અનામત : છ મનપાની ચૂંટણીનું રોટેશન જાહેર
    • Gaza માં પાક. સેનાના 20000 જવાનો તૈનાત થશે
    • India ને વૈશ્વિક બુલીયન હબ બનાવવા તૈયારી
    • Satish Shah ને મરણોત્તર પદ્મશ્રી આપવા માંગ
    • Ahmedabad: પ્રવાસીઓને શરાબ પરમીટ ઓનલાઈન મળશે
    • Anil Ambani Groupનો યસ બેંકના નાણાં આપવા બનાવટી કંપનીઓનો ઉપયોગ:CBIનો ખુલાસો
    • Ayodhya માં રામમંદિરનું નિર્માણ કાર્ય સંપન્ન : ધ્વજારોહણની તૈયારી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, October 29
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મુખ્ય સમાચાર»Ayodhya માં રામમંદિરનું નિર્માણ કાર્ય સંપન્ન : ધ્વજારોહણની તૈયારી
    મુખ્ય સમાચાર

    Ayodhya માં રામમંદિરનું નિર્માણ કાર્ય સંપન્ન : ધ્વજારોહણની તૈયારી

    Vikram RavalBy Vikram RavalOctober 29, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ayodhya તા.29
    અયોધ્યામાં રામમંદિર બનીને પુરી રીતે તૈયાર છે. આ બાબતની જાણકારી શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના શ્રદ્ધાળુઓએ આપી છે. શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્રે સોશિયલ મીડીયા પ્લેટફોર્મ એકસ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે મંદિર નિર્માણ સંબંધી બધા કાર્યો પુરા થઈ ગયા છે.

    અર્થાત મુખ્ય મંદિર અને બાઉન્દ્રી વોલના 6 મંદિર- ભગવાન શિવ, ભગવાન ગણેશ, ભગવાન હનુમાન, સુર્યદેવ, દેવી ભગવતી, દેવી અન્નપૂર્ણા અને શેષ અવતાર મંદિર પણ પૂર્ણ થઈ ચૂકયા છે. તેમના પર ધ્વજ દંડ અને કળશ પણ સ્થાપિત થઈ ચૂકયા છે.

    દર્શનાર્થીઓની સુવિધાવાળા બધા કાર્યો પુરાંઃ શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્રે જણાવ્યું હતું કે જે કાર્યોનો સીધો સંબંધ દર્શનાર્થીઓની સુવિધા કે વ્યવસ્થા સાથે છે, તે બધા કાર્યો પુરા થઈ ચૂકયા છે.

    હાલ એ કાર્યો ચાલે છે જેનો સીધો સંબંધ જનતા સાથે નથી, જેમકે 3.4 કિ.મી. લાંબી ચાર દિવાલ, ટ્રસ્ટ કાર્યાલય, અતિથિ ગૃહ, સભાખંડ.
    જટાયુ અને ખિસકોલીની પ્રતિમાઓ સ્થાપિતઃ આ ઉપરાંત સપ્ત મંડપ અર્થાત મહર્ષિ વાલ્મીકી વશિષ્ઠ, વિશ્વામિત્ર, મહર્ષિ અગસ્ત્ય, નિષાદરાજ, શબરી તેમજ ઋષી પત્ની અહલ્યા મંદિરોનું નિર્માણ પુરુ થઈ ચૂકયું છે. સંત તુલસીદાસ મંદિર પણ પુરું થઈ ચૂકયું છે. સાથે-સાથે જટાયુ અને ખિસકોલીની પ્રતિમા પણ સ્થાપિત થઈ ચૂકી છે.

    પેરાશૂટના કાપડમાંથી બનશે રામમંદિરનો ધર્મધ્વજ
    સોનાની ટીમે ધ્વજનું સુરક્ષા પરિક્ષણ કર્યું
    અયોધ્યાઃ રામમંદિરનું નિર્માણકાર્ય સંપન્ન થવાને પગલે ભવ્ય ધ્વજારોહણ સમારોહની તૈયારી ચાલી રહી છે. મંદિર નિર્માણ સમીતીના ચેરમેન નૃપેન્દ્ર મિશ્રે જણાવ્યું હતું કે રામમંદિર પરિસર સહિત કુલ આઠ મંદિરોમાં ધર્મ ધ્વજ ફરકાવવામાં આવશે. આ ધજાઓના કપડાની પસંદગી અને તેની સુરક્ષિત સ્થાપનાને લઈને સેનાની ટેકનીકલ ટીમ પાસેથી સલાહ લેવાઈ છે.

    જે મુજબ ધર્મ ધ્વજ પેરાશૂટના કપડામાંથતી બનશે જે ટકાઉ અને સુરક્ષિત હશે અને ભારે પવન વાવાઝોડાથી પણ નુકશાન નહીં પામે. ધ્વજ 11 ફુટ લાંબા દંડ પર 22 ફુટની પહોળાઈમાં લહેરાશે.

    રામમંદિરનો મુખ્ય ધ્વજ 360 ડિગ્રીમાં ફરતી બોલ બેરિંગ સિસ્ટમ આધારિત હશે. ધ્વજના કેસરિયા રંગમાં સૂર્યદેવ, ઓમકાર અને કોવિદાર વૃક્ષના ચિહન અંકીત થશે. ધ્વજારોહણ 25 નવેમ્બરે પીએમ મોદીના હસ્તે થશે.

    શિયાળાની ઋતુમાં રામમંદિરમાં દર્શન-આરતીના સમયમાં ફેરફાર
    અયોધ્યાઃ અયોધ્યા રામ જન્મભુમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે રામલલ્લાનાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરી નવુ ટાઈમ ટેબલ જાહેર કર્યું છે. શિયાળાનાં આગમનની સાથે મંદિરમાં દર્શનના સમયમાં કેટલાંક ફેરફાર કરાયા છે જે મુજબ હવે સવારે 7 વાગ્યાથી રામલલ્લાના દર્શન કરી શકાશે.

    દર્શન રાતના 9 વાગ્યા સુધી ચાલુ રહેશે. આ સાથે જ બપોરે ભોગ અને આરતી દરમ્યાન મંદિરમાં કપાટ લગભગ એક કલાક માટે બંધ રહેશે. મંગળા આરતી પહેલા સવારે જ વાગ્યે થતી હતી.

    જે સવારે 4-30 વાગ્યે થશે.શૃંગાર આરતી પહેલા 6 વાગ્યે થતી હતી તે સવારે 6-30 વાગ્યે થશે.દર્શન સમય પહેલા સવારે 6-30 વાગ્યે શરૂ થતો હતો તે હવે સવારે 7 વાગ્યાથી શરૂ થશે.

    Ayodhya Ayodhya Ram
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    27 % બેઠકો OBC અનામત : છ મનપાની ચૂંટણીનું રોટેશન જાહેર

    October 29, 2025
    આંતરરાષ્ટ્રીય

    Gaza માં પાક. સેનાના 20000 જવાનો તૈનાત થશે

    October 29, 2025
    રાષ્ટ્રીય

    India ને વૈશ્વિક બુલીયન હબ બનાવવા તૈયારી

    October 29, 2025
    રાષ્ટ્રીય

    Satish Shah ને મરણોત્તર પદ્મશ્રી આપવા માંગ

    October 29, 2025
    અમદાવાદ

    Ahmedabad: પ્રવાસીઓને શરાબ પરમીટ ઓનલાઈન મળશે

    October 29, 2025
    મુખ્ય સમાચાર

    જમીન નોંધણી માટે Haryana 1 નવેમ્બરથી સંપૂર્ણપણે પેપરલેસ બનશે

    October 29, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    સૌરાષ્ટ્રમાં માવઠાનો માર યથાવત: Gir Somnath જિલ્લામાં 5 થી 8 ઇંચ વરસ્યો

    October 29, 2025

    27 % બેઠકો OBC અનામત : છ મનપાની ચૂંટણીનું રોટેશન જાહેર

    October 29, 2025

    Gaza માં પાક. સેનાના 20000 જવાનો તૈનાત થશે

    October 29, 2025

    India ને વૈશ્વિક બુલીયન હબ બનાવવા તૈયારી

    October 29, 2025

    Satish Shah ને મરણોત્તર પદ્મશ્રી આપવા માંગ

    October 29, 2025

    Ahmedabad: પ્રવાસીઓને શરાબ પરમીટ ઓનલાઈન મળશે

    October 29, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    સૌરાષ્ટ્રમાં માવઠાનો માર યથાવત: Gir Somnath જિલ્લામાં 5 થી 8 ઇંચ વરસ્યો

    October 29, 2025

    27 % બેઠકો OBC અનામત : છ મનપાની ચૂંટણીનું રોટેશન જાહેર

    October 29, 2025

    Gaza માં પાક. સેનાના 20000 જવાનો તૈનાત થશે

    October 29, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.