Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ચીનની નવી ‘ડ્રોન મધરશીપ’ Jiutian

    May 31, 2025

    Gondal નજીક કેશોદ પંથકનો શખ્સ ચોરાઉ 11મોબાઈલ સાથે ઝડપાયો

    May 31, 2025

    કલ્યાણપુર નજીક દરિયા કિનારેથી રૂપિયા 6.61 કરોડનું બીન વારસી ચરસ મળ્યું

    May 31, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ચીનની નવી ‘ડ્રોન મધરશીપ’ Jiutian
    • Gondal નજીક કેશોદ પંથકનો શખ્સ ચોરાઉ 11મોબાઈલ સાથે ઝડપાયો
    • કલ્યાણપુર નજીક દરિયા કિનારેથી રૂપિયા 6.61 કરોડનું બીન વારસી ચરસ મળ્યું
    • Jasdan: ભડલી અને કનેસરા ગામે જુગારના દરોડા
    • Gondal માં વૃદ્ધાના ઘરમાંથી રૂ.3.48 લાખની ચોરી
    • Rajkot: શાપર પોલીસ વિસ્તારમાંથી ગુમ થયેલા ચાર લોકોને પખવાડિયામાં શોધી લેવાયા
    • Rajkot: સોની વેપારીએ ઉછીના આપેલા રૂ. 30 લાખનું બુસા બંધુઓએ ચૂનો ચોપડયો
    • આજનું રાશિફળ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, June 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»14 વર્ષથી વિવાદ,અચાનક કેમ ભડક્યાં હિન્દુ સમાજના લોકો? જાણો Shimla માં હોબાળાનું કારણ
    અન્ય રાજ્યો

    14 વર્ષથી વિવાદ,અચાનક કેમ ભડક્યાં હિન્દુ સમાજના લોકો? જાણો Shimla માં હોબાળાનું કારણ

    Vikram RavalBy Vikram RavalSeptember 11, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Himachal Pradesh,તા,11

    હિમાચલ પ્રદેશની રાજધાની શિમલાના સંજોલી વિસ્તારમાં મસ્જિદના નિર્માણને લઈને વિવાદ સતત વકરી રહ્યો છે. સંજોલીમાં છેલ્લા કેટલાક દિવસથી લોકો વિરોધપ્રદર્શન કરી રહ્યા છે. મસ્જિદમાં ગેરકાયદે બાંધકામના કારણે હિન્દુ સમુદાયમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

    મસ્જિદના કથિત ગેરકાયદેસર નિર્માણને લઈને છેલ્લા ઘણા દિવસોથી પ્રદર્શન કરી રહેલા હિંદુ સંગઠન હવે રસ્તા પર ઉતરી આવ્યા છે. હિંદુ સંગઠનના કાર્યકર્તાઓએ પોલીસના બેરિકેડ્સ તોડી દીધા છે અને મસ્જિદની તરફ આગળ વધવાનો પ્રયત્ન કરી રહ્યા છે. બુધવારે હિન્દુ સમુદાયના હજારો લોકો બેરિકેડ તોડીને મસ્જિદ પાસે પહોંચી ગયા હતા. આ દરમિયાન લાઠીચાર્જ, પથ્થરમારો અને વોટર કેનનનો ઉપયોગથી તમામ વિસ્તાર યુદ્વના મેદાનમાં પરિવર્તિતિ થઇ ગયો હતો.

    14 વર્ષ જૂનો મામલો

    રસપ્રદ વાત એ છે કે, સંજોલીમાં મસ્જિદના ગેરકાયદે બાંધકામનો મામલો 14 વર્ષ જૂનો છે અને શિમલા મ્યુનિસિપલ કોર્પોરેશન કોર્ટમાં પેન્ડિંગ છે. તાજેતરમાં જ આ મામલો મારામારીની ઘટના બાદ સામે આવ્યો હતો. ભાજપ જ નહીં પણ કોંગ્રેસના ઘણા નેતાઓ પર બહારના રાજ્યોમાંથી આવતા લોકોની તપાસ વધારવાનું સમર્થન કરી રહી છે.

    શા માટે મામલો વધ્યો?

    શિમલાના મલ્યાણા વિસ્તાર કુસુમપતિ વિધાનસભા હેઠળ આવે છે અને કોંગ્રેસના મંત્રી અનિરુદ્ધ સિંહ અહીંના ધારાસભ્ય છે. ઓગસ્ટના બીજા પખવાડિયામાં માલ્યાણામાં દુકાન ચલાવતા 37 વર્ષીય વિક્રમ સિંહને એક યુવક અને તેના મિત્રોએ માર માર્યો હતો. હુમલો કરનાર યુવકો મુસ્લિમ છે. તે બહારના રાજ્યનો વતની છે અને શિમલામાં નાનો વેપાર-ઘંધો કરે છે. બંને પક્ષો વચ્ચે થોડી બોલાચાલી થઈ જે બાદ મારામારી થઇ હતી.

    આરોપીઓએ વિક્રમ સિંહ પર લાકડીઓ અને રૉડ હુમલો કર્યો હતો. જેના કારણે વિક્રમ સિંહ ગંભીર રીતે ઘાયલ થતા માથામાં લગભગ 14 ટાંકા આવ્યા છે. આ કેસમાં ધારી પોલીસે છ આરોપીઓની ધરપકડ કરી જે પૈકી બે સગીર હતા.

    લડાઈ બાદ આરોપી મસ્જિદમાં છુપાઈ ગયો 

    14 વર્ષથી વિવાદ,અચાનક કેમ ભડક્યાં હિન્દુ સમાજના લોકો? જાણો શિમલામાં હોબાળાનું કારણ 2 - image

    આરોપ છે કે, આ આરોપીઓ મારામારી કર્યા બાદ મસ્જિદમાં છુપાઈ ગયા હતા. જે બાદ હિન્દુ સંગઠનોએ સંજોલીમાં પ્રદર્શન કર્યું અને મસ્જિદને ગેરકાયદે ગણાવીને તોડી પાડવાની માંગ કરી હતી.

    2 સપ્ટેમ્બરે લોકો સંજોલીની વિવાદિત મસ્જિદની સામે પહોંચ્યા અને મસ્જિદની સામે હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવ્યો હતો. હિંદુ સંગઠનોના બેનર હેઠળ પ્રદર્શનકારીઓએ આ મસ્જિદમાં ગેરકાયદે બાંધકામનો મુદ્દો ઉઠાવ્યો હતો અને પ્રશાસનને તેને તોડી પાડવાની માંગ કરી હતી.

    આ ઘટનાઓ બાદ આ મામલાને રાજકીય રંગ મળ્યો. હિમાચલ વિધાનસભાના ચોમાસુ સત્રમાં પણ આ મુદ્દો મુખ્ય રીતે સામે આવ્યો હતો.

    સુખુ સરકારના મંત્રી અને કુસુમપતિના કોંગ્રેસના ધારાસભ્ય અનિરુદ્વ સિંહે વિધાનસભામાં કહ્યું કે, “આ આખી મસ્જિદ ગેરકાયદેસર છે. તે હિમાચલ સરકારની જમીન પર બનેલ છે. બહારથી આવતા લોકો શિમલાના વાતાવરણને બગાડી રહ્યા છે.”

    અઢી માળની પરવાનગી અને પાંચ માળ ઊભા કરાયા 

    સંજોલીની આ વિવાદિત મસ્જિદનો કેસ 2010થી મ્યુનિસિપલ કોર્પોરેશન કોર્ટમાં ચાલી રહ્યો છે. ખાસ વાત એ છે કે ત્યારપછી રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસની સરકાર રહી, પરંતુ કોઈપણ સરકારના કાર્યકાળમાં આ અંગે ગંભીરતા જોવા મળી નહીં.

    14 વર્ષથી વિવાદ,અચાનક કેમ ભડક્યાં હિન્દુ સમાજના લોકો? જાણો શિમલામાં હોબાળાનું કારણ 3 - image

    આ સમગ્ર મામલે મહાનગરપાલિકાના અધિકારીઓની પણ બેદરકારી માનવામાં આવી રહી છે. વાસ્તવમાં મસ્જિદના ગેરકાયદે બાંધકામ અંગે મ્યુનિસિપલ કોર્ટમાં વારંવાર નોટિસ આપવામાં આવી હતી, પરંતુ તેમ છતાં ચારથી પાંચ માળ ગેરકાયદેસર રીતે ઊભા કરવામાં આવ્યા હતા.

    મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રશાસન પર એવો પણ આરોપ છે કે, ગેરકાયદેસર બાંધકામને કારણે વીજળી અને પાણીનું કનેક્શન કેમ કાપવામાં આવ્યું નથી.

    મસ્જિદ સમિતિના ભૂતપૂર્વ મંત્રીએ કોર્ટને જણાવ્યું કે, 2012 સુધી મસ્જિદ બે માળની હતી. આ પછી અહીં ગેરકાયદે બાંધકામ થયું. નવાઈની વાત એ, પણ છે કે મામલો કોર્ટમાં પેન્ડિંગ હતો ત્યારે મસ્જિદમાં ગેરકાયદે બાંધકામ કેવી રીતે થયુ? મસ્જિદના સ્થાનને લઈને પણ વિવાદ છે. કેબિનેટ મંત્રી અનિરુદ્ધ સિંહે વિધાનસભામાં નિવેદન આપ્યું હતું કે, આ મસ્જિદ હિમાચલ સરકારની જમીન પર બનેલી છે. જો કે વક્ફ બોર્ડે કોર્ટમાં દાવો કર્યો હતો કે, મસ્જિદ તેમની જમીન પર બનાવવામાં આવી હતી. મહત્વનું છેકે, આ કેસની સુનાવણી 5 ઓક્ટોબરે થશે.

    himachal-pradesh Hindu-society Sanjauli-Mosque Shimla Shimla-Masjid-Case
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    ’ઘરે ઘરે સિંદૂર વહેંચવું એ પરિણીત મહિલાઓનું અપમાન છે, Sushil Anand

    May 31, 2025
    અન્ય રાજ્યો

    Mizoramમાં ભારે વરસાદને કારણે પાંચ ઘર અને હોટલ ધરાશાયી, અનેક લોકોના મોતની આશંકા

    May 31, 2025
    અન્ય રાજ્યો

    લગ્નના મહેમાનોથી ભરેલી કાર ખાઈમાં પલટી ગઈ,૫ લોકોના દુઃખદ મોત; ૬ ઘાયલ

    May 31, 2025
    અન્ય રાજ્યો

    Maharashtra Ladli Behna Yojana,2200થી વધુ લાભાર્થી સરકારી કર્મચારી નીકળી

    May 31, 2025
    અન્ય રાજ્યો

    Kashmir to Gujarat સુધી BSFની મહિલા જવાનોએ મોરચો સંભાળ્યો, ઓપરેશન સિંદૂર નારી શક્તિનું પ્રતિક: PM મોદી

    May 31, 2025
    અન્ય રાજ્યો

    Odisha માં 2 દિવસ બાદ નિવૃત થનાર અધિકારીના ઘરેથી રૂા.2 કરોડની રોકડ ઝડપાઈ

    May 31, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ચીનની નવી ‘ડ્રોન મધરશીપ’ Jiutian

    May 31, 2025

    Gondal નજીક કેશોદ પંથકનો શખ્સ ચોરાઉ 11મોબાઈલ સાથે ઝડપાયો

    May 31, 2025

    કલ્યાણપુર નજીક દરિયા કિનારેથી રૂપિયા 6.61 કરોડનું બીન વારસી ચરસ મળ્યું

    May 31, 2025

    Jasdan: ભડલી અને કનેસરા ગામે જુગારના દરોડા

    May 31, 2025

    Gondal માં વૃદ્ધાના ઘરમાંથી રૂ.3.48 લાખની ચોરી

    May 31, 2025

    Rajkot: શાપર પોલીસ વિસ્તારમાંથી ગુમ થયેલા ચાર લોકોને પખવાડિયામાં શોધી લેવાયા

    May 31, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ચીનની નવી ‘ડ્રોન મધરશીપ’ Jiutian

    May 31, 2025

    Gondal નજીક કેશોદ પંથકનો શખ્સ ચોરાઉ 11મોબાઈલ સાથે ઝડપાયો

    May 31, 2025

    કલ્યાણપુર નજીક દરિયા કિનારેથી રૂપિયા 6.61 કરોડનું બીન વારસી ચરસ મળ્યું

    May 31, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.