Halvad,તા.09
હળવદ રેલવે સ્ટેશનનું કરોડો રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરીને ખુલ્લું મૂકવામાં આવ્યું છે પરંતુ પીવાનું ઠંડુ પાણીની વ્યવસ્થા ન હોવાથી મુસાફરોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. હળવદ રેલવે સ્ટેશનના માસ્તરને પીવાના ઠંડા પાણીની વ્યાવસ્થા ઊભી કરવા માટે અનેકવાર રજૂઆત કરવા છતાં આજદિન સુધી કોઈ વ્યવસ્થા થઇ નથી. રેલવે તંત્રના અધિકારીઓની આળસના કારણે મુસાફરોને હાલ એક ટાંકામાંથી ગરમ પાણી પીવું પડે છે અને ત્યા પણ ગંજકી જોવા મળે છે. જેના પગલે બીમાર પડવાનો ભય રહે છે. ત્યારે રેલવે સ્ટેશન પર તાકિદે ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી મુસાફરોમાં માંગણી ઉઠવા પામી છે.