Rajkot,તા.૧૬
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજકીય સન્માન સાથે અહીં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. તેમનો પાર્થિવદેહ પંચમહાનભૂતમાં વિલિન થયો છે. વિજય રૂપાણી ૧૨ જૂનના રોજ દીકરીને મળવા માટે લંડન જઇ રહ્યા હતા. તેઓ એર ઇન્ડિયા પ્લેનમાં જઇ રહ્યા હતા તે જ પ્લેન ક્રેશ થતા તેમનું મૃત્યુ થયું હતું. સ્વ. રૂપાણીના પાર્થિવદેહના રવિવારે ડીએનએ સેમ્પલ મેચ થયા હોવાની પુષ્ટી સિવિલ હોસ્પિટલ સત્તાધીશોએ કરી છે. આજે સવારે રૂપાણીના ધર્મપત્ની અંજલિબેન તથા પુત્ર ઋષભ અને પુત્રી સહિતના પરિવારજનોએ અમદાવાદ સિવિલ હોસ્પિટલથી વિજય રૂપાણીનો પાર્થિવદેહનો સ્વીકાર કર્યો હતો રાજ્ય સરકારે સોમવારે એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો હતો.રાજ્ય સરકારે પૂર્વ મુખ્યમંત્રીની અંતિમ વિદાયને ગૌરવમય બનાવી અદકેરું સન્માન આપ્યું હતું. આજ રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં દિવંગત નેતાના પાર્થિવ દેહને રાજ્ય સરકારી માનદંડ અનુસાર ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનિત કરવામાં આવ્યો હતો.પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ તેમનાં ધર્મપત્ની અને પુત્ર સહિતના પરિવારજનોને સંપૂર્ણ સન્માન સાથે સોંપવામાં આવ્યો. સમગ્ર પ્રક્રિયા રાજ્યના પ્રોટોકોલ અનુસાર અને શ્રદ્ધાપૂર્વક કરવામાં આવી હતી.
રૂપાણીનો પાર્થિવદેહ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચ્યો હતો તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રીમંડળના સભ્યો, ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ સહિતના વરિષ્ઠ નેતાઓ પણ હાજર હતાં . વિજય રૂપાણીના પાર્થિવ દેહને વિમાન મારફતે રાજકોટ લઈ જવામાં આવ્યો હતો રાજકોટ એરપોર્ટથી સ્વ.રૂપાણીના પાર્થિવદેહને ગ્રીન લેન્ડ ચોકડી ખાતેથી પ્રકાશ સોસાયટી સુધી વિવિધ માર્ગો પર અંતિમ દર્શન માટે વિશેષ રૂપથી તૈયાર કરાયેલા વાહનમાં ગોઠવીને અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી રસ્તાની બાજુ રાજકોટવાસીઆએ ઉભા રહીને રૂપાણીને શ્રધ્ધાંજલિ અર્પિત કરી હતી તેમના પાર્થિવદેહ પર ફુલોનો વરસાદ કર્યો હતો કેટલાક લોકો દીપ પ્રગટાવીને પણ ઉભા હતાં રૂપાણીનો પાર્થિવદેહ પ્રકાશ સોસાયટી ખાતે અંતિમ દર્શન માટે રખાયો હતો વિજયભાઈના નિવાસ્થાને મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતાં. કોર્પોરેટરથી લઈ મંત્રીમંડળ તેમજ ટોચના નેતાઓ તેમના ઘરે પહોંચ્યા હતાં અને શ્રધ્ધાંજલિ અર્પિત કરી હતી તો સંતો મહંતોની પણ હાજરી જોવા મળી હતી મંત્રી ભાનુબેન બાબરીયા પણ પહોંચ્યા હતાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનને પગલે આજે રાજ્ય સરકાર દ્વારા રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો હતો ત્યારે શ્રી ખોડલધામ મંદિરે રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો. વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ દિવંગતોના આત્માની શાંતિ માટે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ પ્રાર્થના કરી હતી વિજય રૂપાણીના નિધનથી રાજકોટ શોકમાં ડૂબ્યું છે. હંમેશા લોકોની મદદ માટે તૈયાર રહેતા પૂર્વ મુખ્યમંત્રીને રાજકોટ સહિત આખું ગુજરાત ભીની આંખે શ્રદ્ધાંજલિ આપી હતી. મહત્વનું છે કે, સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકે જાણીતા વિજય રૂપાણીએ પાંચ વર્ષ સુધી ગુજરાતની ધુરા સંભાળી હતી રૂપાણીની અંતિમયાત્રાનો રૂટ ગ્રીન લેન્ડ ચોકથી કુવાડવા રોડ ડી-માર્ટ ચોક, રણછોડદાસ આશ્રમ, ડિલક્ષ ચોક, પારેવડી ચોક, કેસરી હિન્દ પુલ બેડીનાકા જતા, હોસ્પિટલ ચોક ઓવરબ્રિજ ઉપર, અરવિંદભાઇ મણિયાર હોલ, ચૌધરી હાઇસ્કુલ ચોક, ધરમ સિનેમા (આર.વર્લ્ડ), બહુમાળી ભવન ચોક, જીલ્લા પંચાયત ચોક, કિશનપરા ચોક, આમ્રપાલી અંડરબ્રિજ રેસકોર્ષ, રૈયારોડ, આઝાદ ચોક, નરેન્દ્રપારેખ માર્ગ, હનુમાનમઢી ચોક, નિર્મળા રોડ, નાગનાથ મહાદેવ મંદિરથી પ્રકાશ સોસાયટી લાવવામાં આવ્યો હતો સ્વ. વિજય રૂપાણીએ પોતાના સ્વર્ગસ્થ પુત્ર પૂજિત રૂપાણી યાદમાં ટ્રસ્ટ બનાવ્યું હતું. આ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ અને આરોગ્ય તકો પૂરી પાડવામાં આવે છે.જ્યારે વિજય રૂપાણીનો મૃતદેહ રાજકોટ પહોંચ્યો ત્યારે આ બાળકો “મિસ યુ સર” લખેલ બેનર સાથે સ્વ. વિજય રૂપાણીના પાર્થિવ દેહને શ્રધ્ધાંસુન અર્પિણ કર્યા હતાં વિજય રૂપાણીનું પાર્થિવદેહ પાર્થિવદેહ ઘરે પહોંચતા જ વિજયભાઈ અમર રહો, જબ તક સૂરજ ચાંદ રહેગા વિજયભાઈ તુમ્હારા નામ રહેગા, ભારત માતા કી જયના નારા ગુજ્યાં હતા રૂપાણીના નિવાસસ્થાને જૈન સમુદાય દ્વારા કરવામાં મરણોત્તરવિધિ કરવામાં આવી હતી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ,પરષોત્તમ રૂપાલા સહિતના નેતાઓ રાજકોટ ખાતે પહોંચ્યા હતાં ત્યારબાદ નિવાસસ્થાનેથી ફરીથી અંતિમ યાત્રા નિકળી હતી અને યાત્રા રામનાથ અંતિમધામ પહોંચશે અહીં રૂપાણીના પાર્થિવદેહને અગ્નિદાહ આપવામાં આવશે વિજયભાઇ રૂપાણીનો પુત્ર વિજયભાઇ રૂપાણીના પાર્થિવદેહને અગ્નિદાહ આપશે આ ઉપરાંત સ્વ. વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવવા પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૧૭ જૂન, મંગળવારે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ, ૧૯ જૂન, ગુરુવારે ગાંધીનગરમાં અને ૨૦ જૂન, શુક્રવારે ગુજરાત ભાજપ મુખ્યાલય, કમલમ્ ખાતે પ્રાર્થના સભા યોજાશે. વિજયભાઈએ વિદ્યાર્થી કાર્યકર્તા તરીકે રાજકીય કારર્કિર્દી શરુ કરી હતી. વિજયભાઈનો જન્મ ૨ ઓગસ્ટ ૧૯૫૬ના રોજ બર્માની રાજધાની રંગૂનમાં થયો હતો. ૧૯૬૦માં તેમના પિતા રાજકોટમાં આવ્યા હતા. વિજયભાઈ રુપાણી વિદ્યાર્થી જીવનમાં એબીવીપીમાં જોડાયા હતા.વિદ્યાર્થી કાર્યકર્તા તરીકે તેમણે રાજકીય કારકિર્દીની શરુઆત કરી હતી.
વિજયભાઈ ૧૯૭૧માં જનસંઘમાં જોડાયા હતા અને શરુઆતથી જ ભાજપમાં રહ્યા હતા. તેમણે ક્યારેય પોતાની વિચારધારા બદલી નહીં.વિજ્યભાઈ ધારાસભ્ય બન્યા, મંત્રી બન્યા, રાજ્યસભા સાંસદ રહ્યા અને બાદમાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પણ કાર્યભાર સંભાળ્યો. ૨૦૦૬થી ૨૦૧૨ સુધી તેઓ રાજ્યસભાના સાંસદ રહ્યા હતા.વિજય રૂપાણીએ ઓગસ્ટ ૨૦૧૬ થી સપ્ટેમ્બર ૨૦૨૧ સુધી ગુજરાતના ૧૬મા મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. ભારતીય રાજકારણમાં તેમની પોતાની અલગ ઓળખ રહી છે.