કેરીના રસમાં મૃત વંદો હોવાની ફરિયાદ ગ્રાહકે રેસ્ટોરન્ટ માલિકને કરી હતી અને રેસ્ટોરેન્ટ માલિકે ઉડાઉ જવાબ આપ્યો હતો
Jamnagarતા.૨૦
રાજ્યમાં ખાવા-પીવાની ચીજવસ્તુઓમાંથી મૃત ગરોળી, જીવાત કે વંદો નીકળવાની ઘટનાઓ અટકવાનું નામ લઈ રહી નથી. થોડા દિવસ પહેલા જ અમદાવાદમાં ગ્વાલિયા સ્વીટ્સના છોલે-ભટૂરેમાંથી ૨ વંદા નીકળવાની ઘટના સામે આવી હતી, ત્યારે આજે જામનગરમાં પણ આવી એક ઘટના સામે આવી છે. જામનગરમાં કેરીના રસમાંથી વંદ નીકળ્યો છે. શહેરની ન્યુ ચેતના રેસ્ટોરન્ટમાંથી મગાવેલા રસમાંથી વંદો નીકળ્યો છે. લાલ બંગલા સર્કલ નજીક આવેલી ન્યુ ચેતના રેસ્ટોરન્ટમાંથી ભોજન લેવા સમયે બન્યો આ બનાવ બન્યો છે.
એક ગ્રાહકે જમવા માટે ગુજરાતી થાળી મગાવી હતી અને ભોજન લેતા સમયે અચાનક જ ગ્રાહકનું ધ્યાન રસમાં આવેલા વંદા પર ગયું હતું. જેને લઈને કેરીના રસમાં મૃત વંદો હોવાની ફરિયાદ ગ્રાહકે રેસ્ટોરન્ટ માલિકને કરી હતી અને રેસ્ટોરેન્ટ માલિકે ઉડાઉ જવાબ આપ્યો હતો,
તેવો ગ્રાહકનો આરોપ છે. જેને લઈને ફૂડ વિભાગ દ્વારા તપાસ કરીને યોગ્ય કાર્યવાહી રેસ્ટોરન્ટ વિરૂદ્ધ કરવામાં આવે તેવી ગ્રાહકે માગ કરી છે. આ મામલો સામે આવ્યા બાદ ફૂડ વિભાગ દ્વારા સમગ્ર મામલે હાઈજીન બાબતે તપાસ કરી છે.