New Delhi, તા.21
પાટનગર દિલ્હીમાં સતત વધી રહેલા પ્રદૂષણના કારણે શાળાઓમાં તો ઓનલાઇન શિક્ષણ અમલી બનાવી દેવાયું છે પરંતુ હવે સરકારી કર્મચારીઓને પણ પ્રદૂષણના કારણે વર્ક ફ્રોમ હોમની છૂટ આપવામાં આવી છે.
દિલ્હી સરકાર અને હરિયાણામાં ગુરુગ્રામમાં સરકારી કર્મચારીના 50 ટકા સ્ટાફને વર્ક ફ્રોમ હોમ માટે જણાવાયું છે. જેના કારણે જાહેર ટ્રાન્સપોર્ટનું ભાડુ ઘટશે, ખાનગી વાહનો પણ ઓછા દોડશે અને કર્મચારીઓના સ્વાસ્થ્યને પ્રદૂષણના કારણે જે નુકશાન થાય છે તે નિવારી શકાય છે.
દિલ્હીમાં આ માટે જે કચેરીઓમાં વર્ક ફ્રોમ હોમના કારણે લોકોનું કામ અટકે નહીં તે કચેરીઓને તાત્કાલીક આ આદેશ લાગુ કરી દેવા જણાયું છે. આ ઉપરાંત જરુર પડે તો ખાનગી કચેરીઓને પણ આ માટે જણાવાશે.