New Delhi,તા.15
દિલ્હીની સ્કુલોને બોમ્બની ધમકી આપવાના કિસ્સામાં આશ્ચર્યજનક રીતે એક 15 વર્ષીય સગીર હોવાનો સનસનીખેજ ખુલાસો થયો હતો. આ સગીરે અધધધ 400 જેટલી સ્કુલોને ધમકીભર્યા મેસેજ મોકલ્યા હતા.
પોલીસને ઈ-મેલ કરનારનું આઈપી એડ્રેસ મળી ગયું હતું અને તેના આધારે સગીરના ઘરે રેડ પાડીને ઝડપી લીધો અને તેની પુછપરછ કરાઈ છે. સગીરે વીપીએનના ઉપયોગ નહીં કરવાથી પકડાઈ ગયો હતો.
આ મામલે વધુ એક વિગત બહાર આવી છે કે સગીરના પિતા એક રાજનીતિક દળ સાથે જોડાયેલા છે અને એનજીઓમાં કામ કરે છે. આ એનજીઓ એક રાજનીતિક દળની વકીલાત માટે જાણીતું છે. આ એનજીઓએ આતંકી અફઝલ ગુરુની ફાંસીનો વિરોધ કર્યો હતો.