New Delhi, તા.02
દિલ્હી હાઈકોર્ટે આજે ( જૂના રાજેન્દ્ર નગરમાં IAS કોચિંગ સેન્ટરના ભોંયરામાં ડૂબી જવાથી વિદ્યાર્થીઓના મોતને લઈને પોલીસને સખત ઠપકો આપ્યો હતો અને અત્યાર સુધી કરવામાં આવેલી તપાસ પર સવાલો ઉઠાવ્યા હતા. કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ મનમોહનની આગેવાની હેઠળની બેંચ જૂના રાજેન્દ્ર નગરમાં કોચિંગ સેન્ટરના ભોંયરામાં ત્રણ વિદ્યાર્થીઓના મૃત્યુની ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરતી અરજી પર સુનાવણી કરી રહી હતી. હાઈકોર્ટે હવે વધુ તપાસ CBIને કરવાનો આદેશ પણ આપ્યો છે.
સુનાવણી દરમિયાન કોર્ટે તપાસની પદ્ધતિ પર પોલીસને ફટકાર લગાવી હતી. હાઈકોર્ટે પોલીસની ઝાટકણી કાઢતા કહ્યું કે આભાર કે તેમે પાણીનો મેમો ન ફાડ્યો, કોર્ટ વિદ્યાર્થીઓના મૃત્યુના સંબંધમાં પોલીસ દ્વારા એક SUV ડ્રાઈવરની ધરપકડનો ઉલ્લેખ કરી રહી હતી, જેના પર વરસાદી પાણીથી ભરેલા રસ્તા પર વધુ ઝડપે વાહન ચલાવવાનો આરોપ હતો. આરોપ હતો કે વાહન પસાર થવાને કારણે પાણી વધારે ભરાઈ ગયુ હતું અને દરવાજા તૂટી ગયા હતા જેના કારણે બિલ્ડિંગના ભોંયરામાં પાણી ભરાઈ ગયા હતા.