Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    લાંચ અને ભલામણો વિના ભરતી મોડેલ અપનાવે

    June 19, 2025

    બોધકથા..ઝઘડાનું મૂળ કારણ ગુસ્સો છે

    June 19, 2025

    Vadodara ની વિભૂતિ વાસદિયાએ યોગથી મેળવી નવી ઓળખ!!

    June 19, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • લાંચ અને ભલામણો વિના ભરતી મોડેલ અપનાવે
    • બોધકથા..ઝઘડાનું મૂળ કારણ ગુસ્સો છે
    • Vadodara ની વિભૂતિ વાસદિયાએ યોગથી મેળવી નવી ઓળખ!!
    • હૃદયને કરશે મજબૂત, હાર્ટ એટેકનું જોખમ પણ ઘટાડશે: 5 Good Habits
    • Vapi, Valsad માં જળબંબાકાર, 4 કલાકમાં 4.5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો
    • ‘બધા માટે ફ્લાઈટ અમારા માટે બસ,ઈરાનથી પાછા આવેલા કાશ્મીરી વિદ્યાર્થીઓ ભડક્યાં
    • Ahmedabad plane crash: અમરેલીની રિદ્ધિ પડસાલાની અંતિમયાત્રા નીકળી
    • Amreli ના રાજુલામાં 60 વર્ષીય ગુમ ખેડૂતનો મૃતદેહ નદીમાંથી મળ્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 19
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot ના રૈયાધાર મેઇન રોડ પર મધરાત્રે દરગાહ, મંદિર અને દેરીના ડિમોલીશન
    રાજકોટ

    Rajkot ના રૈયાધાર મેઇન રોડ પર મધરાત્રે દરગાહ, મંદિર અને દેરીના ડિમોલીશન

    Vikram RavalBy Vikram RavalApril 8, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot, તા.8
    રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ગઇકાલે મોડી રાત્રે વેસ્ટ ઝોનમાં આવેલા 80 ફુટના રૈયાધાર મેઇન રોડ પર એક દરગાહ, હનુમાનજીનું મંદિર અને એક દેરીના દબાણો રોડ પરથી તોડી પાડવામાં આવ્યા હતા. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિથી આ મીની ડિમોલીશન પૂરા થયા હતા. મહાપાલિકાએ રાતના અંધારામાં આ ડિમોલીશન ગોઠવતા મોડી રાત્રે 3 વાગ્યે પૂર્ણ થયું હતું.આ ઓપરેશન મોડી રાત્રે કરવામાં આવ્યું હોવા છતાં ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો અને શાંતિથી દબાણ હટાવવામાં આવ્યા હતા. આમ તો રાજકોટ શહેરમાં પણ રસ્તા પરના ધાર્મિક દબાણોની યાદી ખુબ લાંબી છે. પરંતુ  સંવેદનશીલ મુદ્દો હોવાથી તત્કાલ કોઇ કાર્યવાહી કરાતી નથી.

    રાજય સરકારના આદેશથી રસ્તા પરના ધાર્મિક દબાણો તોડવા માટે સમયાંતરે કાર્યવાહી થતી રહે છે. જિલ્લામાં પણ ડિમોલીશન થાય છે. ગત સપ્તાહે કુવાડવા રોડ પર આવું જ દબાણ તોડી પાડવામાં આવ્યું હતું. બાદ ગત રાત્રે મનપા અધિકારીઓની ટીમે ચુસ્ત બંદોબસ્ત સાથે કાર્યવાહી કરી હતી. ટીપી અધિકારીઓએ રૈયાધાર રોડ પર ડિમોલીશન કર્યુ હતું.

    ટીપી શાખાના અધિકારીઓના જણાવ્યા મુજબ વેસ્ટ ઝોનમાં વોર્ડ નં.1માં રૈયાધાર મેઇન રોડ પર એટલાન્ટિસ હીલ બિલ્ડીંગ પાસે આવેલ ગેબનશાહ પીરની દરગાહનું 10 ચો.મી.માં પથરાયેલુ દબાણ તોડી પાડવામાં આવ્યું હતું.

    આ દબાણ ટીપી શાખાના લીસ્ટમાં લાંબા સમયથી હતું પરંતુ ડિમોલીશનમાં વિલંબ થતો હતો. આ સાથે જ આ રોડ પર સાગર ડેરી પાસે આવેલ રોકડીયા હનુમાનજી મંદિર અને આગળ ધરમનગર મેઇન રોડના ખુણે આવેલ હનુમાનદાદાની દેરીનું દબાણ પણ હટાવાયુ હતું.

    થોડા સમય પહેલા સુપ્રિમ કોર્ટ સુધી સરકારને ફરી જવાબ આપવો પડયો હતો. તેના પગલે રાજય સરકારે દરેક જિલ્લા અને મહાનગરોમાં આવા દબાણોની યાદી બનાવીને કાર્યવાહી કરવા સૂચના મોકલી હતી. થોડા સમય પહેલા પણ નોટીસ આપીને ડિમોલીશન કરવામાં આવ્યા હતા.રૈયાધારમાં ગઇ મોડી રાત્રે કોર્પોરેશનની ટીમ દોડી ગઇ હતી અને જાહેર રોડ વચ્ચે જ ગેરકાયદેસર રીતે દરગાહ અને મંદિરના થયેલ દબાણ દુર કરવાની કામગીરી હાથ ધરાઇ હતી. સંવેદનશીલ વિસ્તારમાં ડિમોલીશનની કામગીરીમાં ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી રાધીકા ભારાઇ પણ હાજર રહ્યા હતા. જયારે યુનિ. પોલીસ મથકના પીઆઇ એચ.એન.પટેલ તેમજ ગાંધીગ્રામ પોલીસ મથક સહિતના અન્ય પીઆઇ સહિતનો મોટા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

    તે દરમ્યાન ગત સપ્તાહે હાઇવે ઓથોરીટીએ કુવાડવા રોડ પર દરગાહનું દબાણ હટાવ્યું હતું. તે બાદ ગઇકાલે રાત્રે લાંબા સમયથી ડિમોલીશનની યાદીમાં રહેલ આ દરગાહ હટાવવાની કાર્યવાહી પૂરી કરવામાં આવી હતી.

    ♦ દરગાહ : રૈયાધાર મેઇન રોડ, એટલાન્ટિસ હિલ પાસે, રૈયા
    ♦ રોકડીયા હનુમાનજીનું મંદિર, રૈયાધાર મેઇન રોડ, સાગર ડેરી પાસે, રૈયા
    ♦ હનુમાનદાદાની દેરી : રૈયાધાર મેઇન રોડ, ધરમનગરના ખુણે, રૈયા

     

     

    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot:ત્રંબાનજીક બે બાઈકની ટક્કરમાં ઘવાયેલ ભાવિ તબીબ નું મોત

    June 18, 2025
    રાજકોટ

    Rajkot: લોધીકાની કંપનીનો ખાનગી ડેટા એકાઉન્ટન્ટએ હરીફ પેઢીને આપી દીધો

    June 17, 2025
    રાજકોટ

    Rajkot: શાપર નજીક ગાંજાની ડિલિવરી આપવા આવેલી મહિલા ઝડપાઈ

    June 17, 2025
    રાજકોટ

    Rajkot: ‘તુ મારી સામે કેમ જુએ છે’ કહી એડવોકેટ પર કાર ચાલકનો હુમલો

    June 17, 2025
    રાજકોટ

    Rajkot: ધમલપર ગામી પાવર પ્લાન્ટમાંથી ત્રણ હજાર મીટર વાયરની ચોરી

    June 17, 2025
    રાજકોટ

    Rajkot: મુંજકામા બેકરી ચાલુ નહિ કરવાની ટકોર કરનાર યુવાન પર હુમલો

    June 17, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    લાંચ અને ભલામણો વિના ભરતી મોડેલ અપનાવે

    June 19, 2025

    બોધકથા..ઝઘડાનું મૂળ કારણ ગુસ્સો છે

    June 19, 2025

    Vadodara ની વિભૂતિ વાસદિયાએ યોગથી મેળવી નવી ઓળખ!!

    June 19, 2025

    હૃદયને કરશે મજબૂત, હાર્ટ એટેકનું જોખમ પણ ઘટાડશે: 5 Good Habits

    June 19, 2025

    Vapi, Valsad માં જળબંબાકાર, 4 કલાકમાં 4.5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો

    June 19, 2025

    ‘બધા માટે ફ્લાઈટ અમારા માટે બસ,ઈરાનથી પાછા આવેલા કાશ્મીરી વિદ્યાર્થીઓ ભડક્યાં

    June 19, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    લાંચ અને ભલામણો વિના ભરતી મોડેલ અપનાવે

    June 19, 2025

    બોધકથા..ઝઘડાનું મૂળ કારણ ગુસ્સો છે

    June 19, 2025

    Vadodara ની વિભૂતિ વાસદિયાએ યોગથી મેળવી નવી ઓળખ!!

    June 19, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.