Morbi,તા.19
વાવડી રોડ પર ભાડે રહેતા ૫૨ વર્ષીય આધેડ અન્ય ભાડે મકાનની વ્યવસ્થા કરી ના સકતા ટેન્શનમાં આવી પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો બનાવ મામલે એ ડીવીઝન પોલીસે વધુ તપાસ ચલાવી છે
મોરબીની સોમૈયા સોસાયટી વાવડી રોડ પર રહેતા રાજેશભાઈ અમૃતલાલ ગોહિલ (ઉ.વ.૫૨) નામના આધેડે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો બનાવને પગલે પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી તપાસ ચલાવી છે પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક રાજેશભાઈ જે મકાનમાં ભાડેથી રહેતા હતા તે મકાન માલિક દ્વારા દશેક દિવસ પૂર્વે વેચાણ કરી નાખ્યું હતું અને મૃતક બીજી કોઈ જગ્યાએ ભાડેથી મકાનની વ્યવસ્થા કરી શક્યા ના હતા જેથી ટેન્શનમાં અંતિમ પગલું ભરી લીધાનું ખુલ્યું છે સીટી એ ડીવીઝન પોલીસે બનાવ મામલે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે