Dhoraji તા.17
ધોરાજી ખાતે શ્રી વલ્લભાશ્રય ગ્રુપ દ્વારા શરદ રાસોત્સવ હિરપરાવાડીમાં યોજવામાં આવેલ હતો. જેમાં મુખ્ય મનોરથી બ્રિજેશકુમાર ચંદુભાઈ રાખોલીયા (ભાણો) ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા, વિપુલભાઈ ઠેસીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે મોટી હવેલીના પૂ.પા.ગો.108 પ્રબોધકુમારજી, મહારાજ પ.પૂ.ગો. અભીષેકકુમાર મહોદય, પૂ.પા.ગો. રત્નેશકુમારજી મહોદય એવમ ગો.ચિ.લાલન, રક્ષિતરાયજી, એવમ ગો.ચિ.લાલન, અવતંશ સહિતના બાવાઓની હાજરીમાં આ રાસોત્સવનો કાર્યક્રમ યોજાયો.
આ પ્રસંગે ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા, માન બિલ્ડર્સ વિપુલભાઈ ઠેસીયા, યાર્ડના ચેરમેન હરકીશન માવાણી, સી.સી.અંટાળા, વિમલભાઈ કોયાણી, ડો.નૈમીષ ધડુક, હિતેશ વૈષ્ણવ, હિતેષભાઈ કોયાણી, ભુપતભાઈ કોયાણી, જેન્તીભાઈ કોયાણી સહીતના આગેવાનો હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી વલ્લાશ્રય ગ્રુપના સભ્યોએ જહેમત ઉઠાવેલ હતી. આ તકે પધારેલા મહેમાનોને મુખ્ય મનોરથી બ્રિજેશભાઈ રાખોલીયાએ આવકારેલ હતા.