New Delhi,તા.18
દેશમાં અગાઉ અવારનવાર પરચુરણની અછતની ફરિયાદો સંભળાતી હતી અને સરકારે 25 પૈસા- 50 પૈસાથી છેક રૂા.10-20ના સિકકા પણ જારી કર્યા. મોટી રકમના સિકકા પાછળનો હેતુ એ પણ હતો કે રૂા.5, રૂા.10, 20ની ચલણીનોટો બહુ ઝડપથી ખરાબ થઈ જાય છે અને તેની સામે સિકકાઓનું ચલણ એ લાંબા સમય સુધી ચાલે છે પણ હવે પરચુરણની કે છુટ્ટા પૈસાની આવશ્યકતા જ ઓછી થઈ ગઈ હોય.
તો તેનું કારણ ડીજીટલ અને તે પણ યુપીઆઈ પેમેન્ટને યશ જાય છે. હવે શાકભાજીવાળા જ નહી. તમામ ફેરીયાઓ પણ યુપીઆઈ પેમેન્ટ સ્વીકારવા લાગ્યા છે. રિઝર્વ બેન્કના વાર્ષિક રિપોર્ટના ડેટા પણ તેની સાક્ષી પુરે છે.
જેમાં જણાવ્યું છે કે, એક દશકામાં ચલણમાં સિકકાનું સકર્યુલેશન ફકત 2024-25માં તેના અગાઉના વર્ષ કરતા ફકત 3-6% જ વધ્યુ છે. તે 2016-17 જે સમય યુપીઆઈના પ્રારંભનો હતો. તે સમયે સિકકાનું સકર્યુલેશન 8.5% વધ્યુ હતું. 2015-16 માં તે 14.7% હતું. દેશમાં હાલ રૂા.1-2-5-10-20ના ચલણના સિકકાઓનું કુલ 13.7 લાખ પીસ અને રૂા.36589 કરોડની રકમના ચલણમાં છે કે સિસ્ટમમાં છે.
તેમાં રૂા.1-2 અને રૂા.5ના સિકકાઓનું જ કુલ પ્રમાણ 81.6% છે. જે કિંમત (મુલ્ય)ની દ્રષ્ટિએ 64.2% છે. તેની સામે 2017માં યુપીઆઈના વ્યવહારો 64 લાખ જેટલા અને 2425 કરોડના હતા.
તે 2025 માર્ચના અંતે 18.3 બીલીયન અને કિંમતની દ્રષ્ટિએ રૂા.2477221 કરોડના થયા છે. દેશમાં 2016માં યુપીઆઈનુ લોન્ચીંગ થયુ હતું પણ 2016-17ની સિકકાઓનું ચલણ ઘટવા લાગ્યુ છે.
મોટી રકમના વ્યવહારોમાં છુટ્ટા નથી તેવું કહેવાના દિવસો હવે ગયા અને તેના બદલે યુપીઆઈ કરી દો તેવો જવાબ મળે છે. છેક ગ્રામીણ કક્ષામાં તે પ્રચલીત થયુ છે.
તો રૂા.10-20ના સિકકા જે એક સમયે સ્વીકાર્ય ન હતા તે પણ હવે છુટથી ઉપયોગમાં લાગ્યા છે. આમ ડિજીટલ ઈકોનોમીમાં સરકારને નોટો છાપવાનો અને સિકકા તૈયાર કરવાનો ખર્ચ ધીમે ધીમે ઘટાડવા લાગ્યા છે.