મહુવાના કતપર ગામના પરા, બંદર, લાઈટ હાઉસ અને બીપીએલ આવાસમાં રહેતા મજૂર, માચ્છીમાર પરિવારોને પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળતું નથી. અધૂરામાં પૂરૂં ઉનાળાની ઋતુ દરમિયાન પાણીનો પ્રશ્ન વધુ ગંભીર બનતો હોય, ગ્રામજનોએ મહુવાના ધારાસભ્યને રજૂઆત કરી હતી. જેને લઈ ધારાસભ્યએ ગત તા.૧૮-૬-૨૦૨૪ અને તા.૩૧-૧-૨૦૨૫ના રોજ રાજ્ય સરકારના પાણી પુરવઠા વિભાગના કેબીનેટ મંત્રીને તેમજ તલાટી મંત્રીએ ગત તા.૩૧-૧-૨૦૨૫ના રોજ ધારાસભ્ય સુધી લોકોના પાણીનો પ્રશ્ન પહોંચાડયો હતો. તેમ છતાં આજદિન સુધી પાણીની જટિલ સમસ્યા યથાવત છે. ત્યારે સાગરપુત્ર ગ્રામશ્રમયોગી વિકાસ સહકારી મંડળી લિ.-કતપરના પ્રમુખે કેબીનેટ મંત્રીને લેખિતમાં રજૂઆત કરી વલી-ભુતેશ્વર જૂથ યોજના સંપથી પરા, બંદર, લાઈટ હાઉસ વિસ્તાર અને બીપીએલ આવાસને પેરેરલ નવી પીવાના પાણીની લાઈન નાંખવાની મંજૂરી આપી છેવાડામાં વસવાટ કરતા ૪૫૦૦થી ૫૦૦૦ જેટલા ગ્રામજનોનો પીવાના પાણીનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગણી કરી છે.
Trending
- India રશિયન યુદ્ધમાં ભંડોળ આપે છે, ટેરિફ નહિં ઘટે,અમેરિકી પ્રમુખ ટ્રમ્પના સલાહકાર
- Bhavnagar: આવતા મહિનાથી વંદેભારત સ્લીપર ટ્રેન શરૂ થશે
- ટ્રમ્પની સુરક્ષામાં ફરી મોટું છીંડુ : નો Fly zone માં વિમાન ઘુસી ગયું
- તાવ, ડાયાબીટીસ, હૃદયરોગ સહિતની 37 જેટલી Medicines ની કિંમત ઘટી
- Junagadh: કોંગ્રેસ દ્વારા વોર્ડ નં. ૧ થી ૧૫ ના વોર્ડ પ્રમુખો માટે સેન્સ લેવાશે
- ખાડા ગઢ Junagadh માં ભાજપના ચિન્હ કમળના ચિત્રને ઊંધું રાખી નવતર વિરોધ કરાયો
- Ardoi નો ઉપસરપંચ છું તમારે મને પૂછ્યા વગર તાસ કાઢો છો તેમ કહી બે યુવકને માર માર્યા
- Jasdan નજીક ગાંજા ના જથ્થા સાથે નામચીન જશવંત સદાદિયા ઝડપાયો