મહુવાના કતપર ગામના પરા, બંદર, લાઈટ હાઉસ અને બીપીએલ આવાસમાં રહેતા મજૂર, માચ્છીમાર પરિવારોને પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળતું નથી. અધૂરામાં પૂરૂં ઉનાળાની ઋતુ દરમિયાન પાણીનો પ્રશ્ન વધુ ગંભીર બનતો હોય, ગ્રામજનોએ મહુવાના ધારાસભ્યને રજૂઆત કરી હતી. જેને લઈ ધારાસભ્યએ ગત તા.૧૮-૬-૨૦૨૪ અને તા.૩૧-૧-૨૦૨૫ના રોજ રાજ્ય સરકારના પાણી પુરવઠા વિભાગના કેબીનેટ મંત્રીને તેમજ તલાટી મંત્રીએ ગત તા.૩૧-૧-૨૦૨૫ના રોજ ધારાસભ્ય સુધી લોકોના પાણીનો પ્રશ્ન પહોંચાડયો હતો. તેમ છતાં આજદિન સુધી પાણીની જટિલ સમસ્યા યથાવત છે. ત્યારે સાગરપુત્ર ગ્રામશ્રમયોગી વિકાસ સહકારી મંડળી લિ.-કતપરના પ્રમુખે કેબીનેટ મંત્રીને લેખિતમાં રજૂઆત કરી વલી-ભુતેશ્વર જૂથ યોજના સંપથી પરા, બંદર, લાઈટ હાઉસ વિસ્તાર અને બીપીએલ આવાસને પેરેરલ નવી પીવાના પાણીની લાઈન નાંખવાની મંજૂરી આપી છેવાડામાં વસવાટ કરતા ૪૫૦૦થી ૫૦૦૦ જેટલા ગ્રામજનોનો પીવાના પાણીનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગણી કરી છે.
Trending
- Swarnjit Singh યુએસએના કનેક્ટિકટના શહેર નોર્વિચના મેયર પદે ચૂંટાઈ આવ્યા
- Elon Musk હવે દુનિયાના પ્રથમ ટ્રિલિયનેર બનવાની નજીક પહોંચી ગયા
- કામના પ્રેશરથી પરેશાન નર્સે દિલ ચીરી નાંખે તેવું કૃત્ય કર્યું
- વધુ એક મુસ્લિમ દેશ કઝાકિસ્તાન Israel સાથે કરશે દોસ્તી
- Pakistan મરીને ઓખાની બોટ સહિત ૮ માછીમારોનું અપહરણ કર્યું
- Rajnath Singh એવું પણ ઉમેર્યું કે ભારત બાંગ્લાદેશ સાથે કોઈપણ પ્રકારનો ટકરાવ કરવા માંગતું નથી
- Jamnagar: ધ્રોલમાં પતિની આત્મહત્યાના આઘાતથી પત્ની પણ કૂવામાં કૂદી
- Rajkot: Amul milk માં કેમિકલ અને જંતુનાશકની ભેળસેળનો આરોપ

