Vadodara,તા.25
બુધવારના રોજ થયેલા ભારે વરસાદના કારણે શહેરના તમામ વિસ્તારો પાણીથી તરબતર થઈ ગયા છે. જોકે હજુ સુધી કેટલાક વિસ્તારોમાંથી પાણી ઉતર્યા નથી. ત્યારે ફાયર બ્રિગેડ દ્વારા ગઈકાલે પણ 500 ઉપરાંતના લોકોનું રેસ્ક્યુ કરી સહી સલામત સ્થળે ખસેડ્યા હતા. અકોટા ગામ વિસ્તારમાં ફસાયેલા 20 જેટલા લોકોને રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા. બીજી તરફ વિશ્વામિત્ર ની સપાટી 27 ફૂટ વહી રહી હોય કોઈ દુર્ઘટના ન સર્જાય તેના માટે ટ્રાફિક સહિતના પોલીસ જવાનોને બ્રિજ પર તહેનાત કરી દેવાયા છે. વિશ્વામિત્રી ભાઈ જનક સપાટીને પસાર કરશે તો બ્રિજ પર અવરજવર પણ બંધ કરવાની નોબત આવશે.
વડોદરા શહેરમાં વરસેલા ભારે વરસાદના કારણે સમગ્ર શહેર પાણીથી જળબંબોળ થઈ ગયું હતું. શહેરના વિવિધ વિસ્તારોના તમામ રસ્તાઓ પાણીથી તરબતર બની ગયા હતા. વરસાદી પાણીમાં વાહનો ફસાઈ જવાના કારણે લોકો વાહનો ત્યાં છોડીને પોતાના ઘરે ચાલતા રવાના થયા હતા. તારે હજુ પણ કેટલાક ની જાણ વાળા વિસ્તારોમાં પાણી ઓસર્યા નથી. ગઈકાલે ફાયર બ્રિગેડ ની ટીમ દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં ફસાઈ ગયેલા 500 ઉપરાંતના લોકોનું રેસ્ક્યુ કરીને તેમને સહી સલામત સ્થળ પર મોકલી આપવામાં આવ્યા હતા.
ત્યારે આજે પણ ફાયર બ્રિગેડ ની ટીમ દ્વારા અકોટા ગામના દેવનગર ઝુપડપટ્ટી વિસ્તારમાં ફસાઈ ગયેલા 20 જેટલા લોકોને પાણીમાંથી રેસ્ક્યુ કરી સહી સલામત સ્થળે ખસેડ્યા હતા. બીજી તરફ પાણીનું સ્થાન સતત વધવાના કારણે વિશ્વામિત્રી ન 27 ફૂટની સપાટીએ વહી રહી છે. કોઈ દુર્ઘટના ન સર્જાય તેના માટે વડોદરા શહેર અને ટ્રાફિક પોલીસ પોલીસ દ્વારા વિશ્વામિત્રીના તમામ બ્રિજ ઉપર ટ્રાફિકના જવાનો તથા સ્થાનિક પોલીસના માણસોને તહેનાત કરી દેવામાં આવ્યા છે. વિશ્વામિત્ર ભયજનક સપાટીની ઉપરથી વહેતી થશે તો બ્રિજ પર નો રસ્તો પણ અધિકારીઓની સૂચના મુજબ બંધ કરવામાં આવશે તેમ પણ સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.