Mithapur, તા. ૨૨
દેવભૂમિ દ્વારકા જિલ્લાના યાત્રાધામ દ્વારકા દર્શનાર્થે પાટણ જિલ્લાના યાત્રિકો આવેલ હતા અને ગોમતી નદીમાં સ્નાન કરવા ગયા હતા જે પૈકીના ત્રણ લોકો પાણીમાતણાવા લાગ્યા હતા.
આ ત્રણમાંથી એકનો બચાવ થયો હતો. જ્યારે ૧૯ કલાક બાદ મામા-ભાણેજના મૃતદેહ મળેલ છે. હર્ષિલ પ્રકાશગીરી ગોસ્વામીને બચાવી લેવામાં આવેલ અને સારવારમાં ખસેડવામાં આવેલ હતો. જ્યારે શૈલેષ ગોસ્વામી અને ધ્રુમીલ ગોસ્વામીના ભારે જહેમત બાદ મૃતદેહ મળેલ છે.