વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં એ ભાવનાનું પ્રદર્શન કરવું સમયની માંગ હતી કે જો કેન્દ્ર અને રાજ્ય મળીને કામ કરે તો કોઇપણ લ-ય અસંભવ નથી. આ બેઠકમાં ૨૦૪૭ સુધી દેશને વિકસિત બનાવવા માટે એના પર ભાર મૂકવામાં આવ્યો કે વિકસિત ભારતનું લ-ય રાજ્યોને વિકસિત કરીને જ મેળવી શકાય છે. ચોક્કસપણે દેશ ત્યારે જ આગળ વધશે, જ્યારે તમામ રાજ્યો પ્રગતિ કરશે. તેમને વિકાસ મામલે એકબીજા સાથે સ્વસ્થ પ્રતિસ્પર્ધા કરવા માટે એકબીજા પાસેથી શીખવું પણ જોઇએ. એ પણ જરૂરી છે કે વિકાસના મામલે સંકીર્ણ પક્ષીય રાજકીય હિત આડે ન આવી શકે. વિકાસ અને રાષ્ટ્રીય સુરક્ષા મામલે કેન્દ્ર અને રાજ્યોએ ન માત્ર એકમત થવું જોઇએ, બલ્કે એવું દેખાવું પણ જોઇએ. દુર્ભાગ્યે મોટાભાગે એવું નથી થતું. તેનું કારણ સંકીર્ણ સ્વાર્થોને પ્રાથમિકતા આપવાનું જ હોય છે. કેટલીય વાર રાજ્ય સરકારો કેન્દ્ર સરકાર પર સંઘીય માળખાની અવગણના કરવાનો આરોપ લગાવે છે, પરંતુ તે ખુદ કેન્દ્રીય યોજનાઓને લાગુ કરવામાં આનાકાની કરે છે. દાખલા તરીકે પશ્ચિમ બંગાળે કેન્દ્ર સરકારની કેટલીય યોજનાઓને લાગુ કરવાની જરૂર ન સમજી. તેમાં કેટલીક યોજનાઓ તો જન ક્લ્યાણ સંબંધિત છે. કેટલીય વાર રાજ્યોને પણ કેન્દ્ર સરકાર સામે ફરિયાદ હોય છે. તેમની સાચી ફરિયાદોને સાંભળવી જોઇએ, બલ્કે તેનું સમાધાન પણ કરવું જોઇએ. ફરિયાદો પર આરોપ-પ્રત્યારોપનો સિલસિલો ચાલુ રહેવાથી કોઈનું ભલું નથી થતું.
નીતિ આયોગની બેઠકમાં દેશના વિકાસમાં મહિલાઓની ભાગીદારી વધારવા, પર્યટન કેન્દ્રો પર વિશેષ ધ્યાન આપવા અને ભવિષ્યના પડકારોને જોતાં શહેરી માળખાનું યોગ્ય નિર્માણ કરવા જેવા કેટલાક મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ. એમ પણ તમામ મુદ્દાઓ પર ધ્યાન આપવું જોઇએ અને યોગ્ય રીતે શહેરીકરણ પર તો વિશેષ રૂપે, કારણ કે શહેરો જ વિકાસનાં એન્જિન છે. નીતિ આયોગની બેઠકમાં કેટલાય રાજ્યોના મુખ્યમંત્રી વ્યસ્તતા અથવા પૂર્વ નિર્ધારિત કાર્યક્રમને કારણે ન આવ્યા. આશા રાખીએ કે તેમની ગેરહાજરીનું કારણ કેન્દ્રને કોઈ રાજકીય સંદેશ આપવાનો નહીં હોય. એ વિચિત્ર છે કે નીતિ આયોગની જે બેઠકમાં કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પમ આવ્યા, તેને લઈને પાર્ટીના મહાસચિવ જયરામ રમેશની પ્રતિક્રિયા ઘોર નકારાત્મક રહી. તેમણે બેઠક ખતમ થતાં પહેલાં જ તેને નિરર્થક ગણાવી અને નીતિ આયોગને અયોગ્ય એકમ પણ ગણાવી દીધું. આખરે તેને નકારાત્મકતાની પરાકાષ્ઠા સિવાય બીજું શું કહી શકાય? લાગે છે કે તેમના જેવા નેતા પહેલાંથી જ એ નક્કી કરી લે છે કે તેમણે દરેક મુદ્દે પોતાની ભડાસ કાઢવાની છે અને કંઇકને કંઇક એવું કહેવું કે જેનાથી કલેશ પેદા થાય.