ફ્રીજ ખોલતાની સાથે શોર્ટ સર્કિટ થતાં વૃદ્ધએ જીવ ગુમાવ્યો
Rajkot,તા.30
શહેરની ભાગોળે સણોસરા ગામે રહેતા વૃદ્ધનું પોતાના ઘરે વીજ કરંટ લાગી જતાં તેઓને સારવાર અર્થે કુવાડવાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા,જ્યાં સારવાર લીધા પૂર્વે વૃદ્ધને મૃત જાહેર કરવામાં આવતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.
વધુમાં પ્રાપ્ત માહિતી અનુસાર,શહેરની ભાગોળે સણોસરા ગામે રહેતા વિરજીભાઇ પ્રેમજીભાઈ પરસાણા (ઉં.વ.68) નામના વૃદ્ધનું પોતાના ઘરે વીજ કરંટ લાગી જતાં તેઓને સારવાર અર્થે કુવાડવાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા,જ્યાં સારવાર લીધા પૂર્વે વૃદ્ધને મૃત જાહેર કરવામાં આવ્યા છે.પોલીસની પ્રાથમિક તપાસમાં સતત વરસાદને પગલે ઘરની દીવાલો ભેજવાળી થઈ જતાં,વીરજીભાઈ ગઈ કાલે બપોરના અગિયાર વાગ્યા આસપાસ ફ્રીજ ખોલી રહ્યા હતા,તેની સાથે જ વૃદ્ધને કરંટ લાગી જતા તેમને સારવાર અર્થે ખસેડાયા,જ્યાં સારવાર લીધા પૂર્વે જ દમ તોડી દેતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યુ છે.બનાવ અંગે કુવાડવા પોલીસ મથકે જાણ થતાં હેડ કોન્સ્ટેબલ કરમશીભાઈ સહિતના સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી કાગળો કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથધરી છે.મૃતકને સંતાનમાં બે પુત્ર છે અને મૃતક નિવૃત્ત જીવન ગુજારી રહ્યાં હતાં.બનાવથી પરિવારમાં શોક છવાઈ જવા પામ્યો છે.