Morbi,તા.20
સિંધાવદર ગામે રહેતા વૃદ્ધ કુદરતી હાજતે જતા હતા ત્યારે અકસ્માતે કેનાલમાં પડી જતા કેનાલમાં પાણીમાં ડૂબી જતા મોત થયું હતું બનાવ મામલે પોલીસે તપાસ ચલાવી છે
વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામના રહેવાસી આહમદ હૈયાતભાઈ પરાસરા (ઉ.વ.૬૬) નામના વૃદ્ધ તા. ૧૯ ના રોજ કુદરતી હાજતે જવા નીકળ્યા હતા અને ગામની સીમમાં આવેલ કેનાલમાં અકસ્માતે પડી ગયા હતા જેથી કેનાલના પાણીમાં ડૂબી જતા મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે