Morbi, તા.27
મોરબીના લીલપર રોડ ઉપર આવેલ સ્મશાનની પાછળના ભાગમાં આવેલ મચ્છુ નદીમાં મહિલાની લાશ મળી હતી. મૃતક મહિલા વજેપર વિસ્તારના હોવાનું સામે આવ્યું છે.લીલપર રોડ ઉપર આવેલ સ્મશાનની પાછળના ભાગમાંથી મચ્છુ નદી પસાર થાય છે .
ત્યારે પાણીમાં કોઈ અજાણી મહિલાનો મૃતદેહ પડ્યો હોવાની માહિતી સામે આવી હતી જેથી કરીને સામાજિક કાર્યકર જગદીશભાઈ બાંભણીયા,રાજુભાઈ દવે અને મુન્નાભાઈ ત્યાં દોડી ગયા હતા અને આ બનાવની ફાયર વિભાગની ટીમને જાણ કરી હતી.
જેથી ફાયરની ટીમે ત્યાં આવી હતી અને પાણીમાં પડેલ મહિલાની લાશને બહાર કાઢવામાં આવી હતી. બી ડિવિઝન પોલીસ સ્ટેશનના હિતેશભાઇ મકવાણા અને દિનેશભાઇ ડાંગર મૃતક મહિલાની ઓળખ મેળવવા માટે તજવીજ કરી રહ્યા હતા તેવામાં આ મૃતક મહિલાનું નામ શાંતાબેન તળશીભાઈ ચાવડા (85) રહે. વજેપર શેરી નંબર 11 મોરબી વાળા હોવાનું સામે આવ્યું છે જેથી પોલીસે તેની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

