હાલારના બંને જિલ્લાના કોઈપણ માછીમારોને દરિયામાં માછીમારી કરવા જવા માટે નો પ્રતિબંધ યથાવત: દરિયાઈ પેટ્રોલિંગ સધન બનાવાયું
Jamnagar,તા.20
હાલારના બન્ને જિલ્લાઓ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાગર કિનારા વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા પેટ્રોલિંગ સધન બનાવાયું છે, અને ભારત-પાક વચ્ચે સિઝ ફાયર ની આજે પુર્ણાહુતી થઈ રહી છે, તે પહેલાં સમગ્ર વહીવટી તંત્ર એલર્ટ મોડમાં છે, અને બંને જિલ્લાના કોઈપણ માછીમારોને દરિયામાં માછીમારી કરવા માટે જવા દેવાયા નથી.
હાલારના બંને જીલ્લા માં મરીન ટાસ્કફોર્સ, એસ.ઓ.જી., અને સ્થાનિક પોલીસ વિભાગની અલગ અલગ સુરક્ષા એજન્સીઓ દ્વારા દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, ખાસ કરીને સાગર કિનારા વિસ્તારમાં બોટ પેટ્રોલિંગ તેમજ કોસ્ટલ એરિયામાં પણ પોલીસ ટુકડીઓ સતત પેટ્રોલિંગ કરી રહી છે, અને તમામ ટાપુઓ ઉપર લોકોની અવરજવર માટે પ્રતિબંધ ફરમાવી દીધા બાદ ત્યાં પણ સધન ચેકિંગ કરાઇ રહ્યું છે.
જામનગર અને દેવભૂમિ દ્વારકા બંને જિલ્લાના માછીમારોને દરિયામાંથી અગાઉથી જ પરત બોલાવી લેવાયા છે, અને કોઈપણ માછીમારો દરિયામાં હાલ છે નહીં, અને તમામ માછીમારોની બોટોને જુદા જુદા બંદર ઉપર સહી સલામત રીતે લાંગરી લેવામાં આવી છે.
ઉપરાંત માછીમારો વગેરે સાથે પણ પોલીસ તંત્ર દ્વારા અલગ અલગ વિસ્તારમાં બેઠકો યોજીને સલામતીના ભાગરૂપે દરિયામાં નહીં જવા માટે ની કડક સૂચનાઓ આપવામાં આવી રહી છે.
હાલારના બંને જિલ્લામાં વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને દરિયામાં માછીમારી કરવા માટે ટોકન ઇસ્યુ કરાયા બાદ જ તેઓ માછીમારી કરવા જઈ શકશે, અને હાલની પરિસ્થિતિમાં તમામ બોટો સહી સલામત રીતે કિનારા પર લાંગરેલી છે. ઉપરાંત તમામ સુરક્ષા એજન્સીઓ પણ સંપૂર્ણપણે એલર્ટ મોડમાં છે.