Vadodara,તા.11
કારેલીબાગના રાત્રિબજારમાં ફરીએક વાર મારામારીનો બનાવ બનતાં ભારે ઉત્તેજના સર્જાઇ હતી.
ગોરવામાં રહેતા અને રાત્રિ બજારમાં ભેળની દુકાને કામ કરતા મો.હારૃન સમસુલ કમરખાને પોલીસને કહ્યું છે કે,તા.૮મીએ બપોરે હું ગોરવામાં મારા મિત્ર સમસાદખાનના હેરસલૂનમાં ગયો હતો ત્યારે ત્યાં બબલુ અને શેરા નામના બે યુવકો દારૃ ના નશામાં બકવાસ કરતા હતા.જેથી મેં મારા મિત્રને આવા લુખ્ખાઓને કેમ બેસાડે છે તેમ કહ્યું હતું.
ત્યારબાદ રાતે હું દુકાને હતો ત્યારે બંને જણા આવ્યા હતા અને ઝઘડો કર્યો હતો.આ પૈકી શેરાએ પટ્ટો કાઢી મારતાં કપાળે ઇજા થઇ હતી.જ્યારે બબલુએ ગડદાપાટુનો માર માર્યો હતો.નોંધનીય છે કે,અગાઉ પણ રાત્રિ બજારમાં સશસ્ત્ર હુમલાખોરોએ કેર વર્તાવ્યો હોવાનો બનાવ બન્યો હતો.જ્યારે,એક સપ્તાહ પહેલાં મહિલા દુકાનદાર સાથે ગેરવર્તણૂકનો બનાવ બનતાં હરણી પોલીસ સુધી મામલો પહોંચ્યો હતો.જે કેસમાં પોલીસે અરજી લઇ તપાસ હાથ ધરી છે.