Surendranagar,તા.10
સરકાર દ્વારા વન નેશન વન કાર્ડની જાહેરાત કરવામાં આવે છે પરંતુ સસ્તા અનાજના દુકાનદારો(રેશનિંગ દુકાનદારો)ને પ્રોલોબીટીની મંજૂરી આપવામાં ન આવતા સુરેન્દ્રનગર જિલ્લામાં પઢાર જ્ઞાાતિના લોકોને અનાજથી વંચિત રહેવું પડયું છે. સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી કરી પ્રોલોબીટીની મંજુરી આપવામાં આવે તેવી અનાજથી વંચીત રેશનકાર્ડધારકોએ સ્થાનીક તંત્રને લેખીત રજુઆત કરી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં પઢાર જ્ઞાાતિના લોકો કામ ધંધા અર્થે આવ્યા છે પરંતુ સરકારના નિયમના કારણે રેશનકાર્ડ હોવા છતાં મળવાપાત્ર અનાજથી વંચિત રહેવાનો વારો આવ્યો છે. પરંતુ સરકાર દ્વારા પ્રોલોબીટીની મંજૂરી રેશનિંગની દુકાનદારોને આપવામાં ન આવતા આ તમામ પરિવારો પાસે રેશનકાર્ડ હોવા છતાં સરકારના નિયમ મુજબ તેઓને મળવાપાત્ર અનાજનો જથ્થો વિતરણ કરી શકતા નથી. જેના કારણે રૃપિયા ખર્ચી અનાજ મેળવવું પડે છે. એક તરફ સરકાર દ્વારા વન નેશન વન કાર્ડ મતલબ સમગ્ર દેશમાં એક જ રેશનકાર્ડને માન્ય રાખી રેશનકાર્ડધારક દેશના કોઈપણ ખુણેથી મળવાપાત્ર અનાજનો જથ્થો મેળવી શકે છે પરંતુ સરકારની બેદરકારી અને અણઆવડતના કારણે પ્રોલોબીટીના નિયમની આંટીઘુટીના કારણે અનેક પઢાર પરિવારોને અનાજ મળી રહ્યું નથી. ત્યારે સરકારની જાહેરાતો માત્ર કાગળ પર જ હોય તેમ લાગી રહ્યું છે અને આ મામલે યોગ્ય કાર્યવાહી કરી રેશનિંગ દુકાનદારોને પ્રોલોબીટીની મંજૂરી આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.