Morbi,તા.20
મોરબીમાં સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજ ખાતે એનએસએસ એકમ અંતર્ગત શિબિરાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ તેમજ અંતિમ વર્ષના સ્વયં સેવકોના વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સ્વયંસેવકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અને ત્યારે બાલાસરા બંસીએ એકપાત્ર અભિનય રજૂ કર્યો હતો. ગોગરા મુન્ના, કુંભરવાડિયા નિખિલ તેમજ સાંગા રમેશે પોતાના અનુભવો પણ રજૂ કર્યા હતા. મકવાણા ઉન્નતિએ સ્વરચિત કવિતા રજૂ કરી હતી. સાંતોલા સુનિલ, નિખિલ, સાંગા રમેશે સુંદર ભજનો સંગીત સાથે રજૂ કરીને શ્રોતાગણને અભિભૂત કરી દીધા હતા. ત્યારે એનએસએસના પ્રોગ્રામ ઓફિસર ડો. રામભાઈ વારોતરીયાએ સૌ સ્વયંસેવકોને શુભેચ્છાઓ પાઠવી હતી.