Manavadar, તા.20
માણાવદર તાલુકાના ૫૫ ની જુદી જુદી જમીનની લે-વેચ કે નામ ફેર કમી જેવા કામોની અરજી કરે છે ત્યારે ખેડૂતોને ચોમાસાની સીઝન હોય જમીનના કામો આટોપી ખેતી કામ કરવા માંગે છે પરંતુ આવી અરજીમાં વહાલા દવલાની નીતિ મામલતદાર કરતા હોવાની ફરીયાદ ઉઠી છે. આ અંગે ધારાસભ્ય અને ઉચ્ચકક્ષાએ રજુઆતો કરી છે જેમાં જણાવેલ છે કે જમીન એન્ટ્રીમાં ખાનગી વહીવટ કરો તો નિયમ ના નડે જો કોઈ ખેડૂત કે અરજદાર ખાનગી વહીવટના કરે તો તેને નિયમો બતાવવામાં આવતા હોવાની ચોકાનારી ફરિયાદ થાય છે વાલા દવલાની નીતિ થાય છે વહીવટ કરો તો ૩૫ દિવસે મંજૂર નહીં તો ૪૫ દિવસ થાય તેવી ખેડૂતોની ફરીયાદ ઉઠી છે. જો ખેડૂતોને ચોમાસા ટાઈમ હોય ખેતી કે અન્ય કોઈ રીતે મજૂબરી હોય તો નાછૂટકે મોટી રકમ આપવી પડતી હોવાની ચર્ચા થાય છે. ખેડૂત ખેતી કરે કે ઓફિસમાં ધકા ખવડાવે તો વહીવટ કરવા પડે? તાકીદે આવા કામોમાં અડચણ રૂપ અધિકારીની બદલી કરવા લોક માંગ ઉઠવા પામી છે.