મહિલાની ખોટી વાત કરતો હોવાની જાણ થતા વાતચીત માટે ભેગા થયા બાદ બોલાચાલીમા મારામારી
Rajkot,તા.17
શહેરના આજી જીઆઇડીસી પાસે રહેતા બે યુપીના પરિવાર વચ્ચે મારમારી થઇ હતી.જેમાં મહિલા સહિત ત્રણને ઇજા પહોંચતા સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. મહિલા વિશે ખોટી વાતો કરવા બાબતે બંને પરિવાર વચ્ચે બોલાચાલી થયા બાદ મારામારી થઇ હતી. પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ યુ.પીના અને હાલ આજી જીઆઇડીસી પાસે આનંદનગર-૨ માં રહેતા ગુડીયાબેન જેનુદીન ઇદ્રીશી અને સામાપક્ષે પ્યારેલાલ કમરૂદીન બાગબાન(ઉ.વ ૪૯) અને તેના પુત્ર ખુશ્બુદીનને ઇજા પહોંચતા સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. જાણવા મળતી વિગતો મુજબ, પ્યારેલાલ ગુડીયા વીશે ખોટી વાત કરતો હોવાની જાણ થતા ગુડીયા તેનો જેનુદીન આ બાબતે પ્યારેલાલ સાથે વાત કરતા તેણે સાંજે મળવા આવ્યા કહ્યું હતું. બાદમાં બંને પરિવાર રાત્રીના ભેગા થતા ગુડીયા પર ખુશ્બુદીન, પ્યારેલાલ અને અજાણ્યા શખસે મળી પાઇપ વડે હુમલો કર્યો હતો. જયારે સામાપક્ષે સલમાન, જેનુદીન અને અજાણ્યા શખસે હુમલો કરતા પ્યારેલાલ અને તેના પુત્ર ખુશ્બુદીનને ઇજા પહોંચી હતી. આ અંગે પોલીસ ફરિયાદ નોંધવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.