New Delhi,તા.28
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધના વાદળો જે રીતે ઘેરાયા છે અને બન્ને દેશોની સેના પણ તૈયારીમાં વ્યસ્ત છે તે સમયે હવાઈ યુદ્ધ એ નિર્ણાયક બનશે અને તેમાં ભારતે જે રીતે હાલમાં જ છેક આસામથી ગુજરાત અને ઉતરપ્રદેશ જેવા મહત્વના રાજયમાં લડાયક વિમાનોને જરૂર પડે લેન્ડીંગ માટે અને તેમાં પણ હવે નાઈટ લેન્ડીંગની સુવિધા ઉભી કરીને મહત્વની તેની લડાયક-પ્રહાર ક્ષમતામાં વધારો કર્યો છે.
ગંગા એકસપ્રેસ હાઈવે તે એરસ્ટ્રીપમાં રૂપાંતર કરવામાં સફળતા મેળવ્યા બાદ ત્યાં રાત્રીના પણ લડાયક વિમાનો લેન્ડીંગ કરી શકે તે નિશ્ચિત કરાયુ છે. એરસ્ટ્રીપ તરીકે નિશ્ચિત થયેલા ક્ષેત્રમાં બન્ને તરફ 230થી વધુ સીસીટીવી કેમેરા પણ ગોઠવાયા છે. 3.50 કી.મી. લાંબા આ એરસ્ટ્રીપનું ગઈકાલે ઉતરપ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદીત્યનાથે નિરિક્ષણ કર્યુ હતુ અને અહી તા.2ના રોજ એર-શો પણ યોજાશે.
જેમાં નાઈટ લેન્ડીંગ કરાવાશે અને ખુદ મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહેશે. આસપાસના ક્ષેત્રોમાં પણ તાકીદના સમયે કોઈ લેન્ડીંગ થાય તો ગ્રામ્યજનો કઈ રીતે સહાય માટે જઈ શકે તે નિશ્ચિત કરાયુ છે.
શ્રી યોગીએ ગઈકાલે તેનું હેલીકોપ્ટર અહી ઉતરાયુ હતુ. ખુદ અંગે ચાલીને માર્ગની શ્રેષ્ઠતા નિહાળી હતી અને પાંચ કી.મી. કારમાં પણ પ્રવાસ કર્યો હતો. તેઓએ આ કામગીરી કરનાર ટીમોને અભિનંદન આપ્યા અને તેની સાથે ફોટો સેસન પણ કર્યુ હતું.
2021માં 594 કી.મી. લંબાઈના ગંગા એકસપ્રેસ હાઈવેનો શિલાન્યાસ થયો હતો. રૂા.36000 કરોડના ખર્ચે આ માર્ગ 12 શહેરોને જોડે છે અને 6 લેનનો હાઈવે 8 લેનનો પણ કરી શકશે. 120 કી.મી.ની ઝડપે વાહન ચાલી શકશે.
શ્રી યોગીએ કહ્યું કે, આ ગંગા એકસપ્રેસ હાઈવેને પ્રયાગરાજથી ગાઝીપુર સુધી લંબાવાશે. અહી હાઈવે આસપાસ ઔદ્યોગીક, કૃષી ક્ષેત્ર પણ તૈયાર કરાય છે અને યુપીના અન્ય હાઈવેની સાથે કનેકટીવીટી અપાશે.