આ બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ ભાવનગર શહેરના અલગ અલગ ત્રણ સ્થળોએ આગ લાગવાની ઘટના બની હતી.જેમાં પ્રથમ રાત્રિના ૧.૨૫ કલાકે શહેરના ભીલવાડા સર્કલ પાસે પાર્ક કરવામાં આવેલી અજ્ઞાાનભાઈ સદીકભાઈ શેખની માલિકીની કાર નંબર જીજે ૦૧ એચએ ૦૦૯૨ માં અચાનક આગ ભભુકી ઉઠી હતી.આગ લાગ્યાનો સંદેશો ફાયર બ્રિગેડને મળતા ફાયર સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો.અને સ્થાનિકોની મદદ વડે આગ પાણીનો છંટકાવ કરી આગને કાબૂમાં લીધી હતી.આગ લાગવાનું કારણ અને નુકશાની જાણવા મળી નથી.જ્યારે બીજા બનાવમાં વહેલી સવારના સમયે શહેરના જૂના બંદર રોડ પર આવેલ ભોતેશભાઈ અમૃતભાઈ ઝાલાવાડિયાની માલિકીના અંબિકા પ્લાસ્ટિકના નામના પ્લાસ્ટિકના દોરડા બનાવવાના કારખાનામાં આગ ભભુકી ઉઠી હતી.કારખાનામાં દોરડા બનાવવા માટે પ્લાસ્ટિક નો જથ્થો પડયો હોય જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.આગ લાગ્યાંનો સંદેશો મળતા ફાયર સ્ટાફ સ્થળ ઉપર દોડી ગયો હતો અને આગ પર બે ગાડી પાણીનો છંટકાવ કરી આગને બુઝાવી દીધી હતી.આગમાં પ્લાસ્ટિકના દોરડા અને દોરડા બનાવવાનું મટીરિયલ ખાક થઈ જવા પામ્યું હતું.આગ લાગવાનું કારણ અને નુકશાની જાણવા મળી નથી.ત્રીજા બનાવમાં ભાવનગર શહેરના માલધારી સોસાયટીમાં આવેલા ઝાડમાં આગ ભભુકી ઉઠી હતી.આગ લાગ્યા નો સંદેશો ફાયર બ્રિગેડને મળતા ફાયર સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો અને આગ પર પાણી છાંટી આગને કાબૂમાં લીધી હતી.
Trending
- Noida Fire: 5 માળની બિલ્ડિંગમાં ભીષણ આગ
- બેટિંગ એપ મામલે Suresh Raina પહોંચ્યા ED ઓફિસ
- Commonwealth Games 2030: ગેમ્સના આયોજન માટે IOA દ્વારા અમદાવાદની પસંદગી
- નિવૃત્તિની અટકળો વચ્ચે રોહિત શર્માએ વનડે રેન્કિંગમાં છલાંગ, ટોપ-2માં Gill-Hitman
- શનિવારે Dwarka માં ઠાકોરજીના 5252માં જન્મના વ્હાલથી વધામણા
- Jasdan માં ઘેલા સોમનાથ મહાદેવ મંદિરમાં મંત્રી કુંવરજી બાવળીયાનું પૂજન અર્ચન
- ચીનની Snatching Net Technology: વિશ્વ માટે ખતરો કેમ?
- Rajkot: તા.15ના ગાંધી મ્યુઝિયમના બાળકોને ફ્રી પ્રવેશ