Morbi,તા.17
મોરબી અને વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના ચાર બનાવમાં મહિલા સહીત ચાર વ્યક્તિના મોત થયા છે જે તમામ બનાવો મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
પ્રથમ બનાવમાં મૂળ ઓડીસાના વતની અને હાલ મોરબીના નીચી માંડલ ગામની સીમમાં સિમોન સિરામિકમાં રહીને કામ કરતા જગનાથ સુરેન્દ્રનાથ બહેરા (ઉ.વ.૩૮) નામના યુવાન કારખાના પાસે પાણી ભરેલ ખાણમાં ન્હાવા ગયો હતો અને પાણીમાં ડૂબી જતા યુવાનનું મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે બીજા બનાવમાં વાંકાનેરની સ્વપ્નલોક સોસાયટી રેલ્વે સ્ટેશન રોડ પર રહેતા હાર્દિકભાઈ રાજુભાઈ રાતડીયા (ઉ.વ.૨૨) નામના યુવાન પોતાના ઘરે પાણીની મોટર ચાલુ કરતી વખતે ઇલેક્ટ્રિક શોક લાગતા યુવાનને સારવાર માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં ફરજ પરના ડોકટરે જોઈ તપાસીને યુવાનને મૃત જાહેર કર્યો હતો વાંકાનેર સીટી પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે
ત્રીજા બનાવમાં મૂળ કુતિયાણા હાલ સુત્રાપાડા તાલુકાના મોરડિયા ગામના રહેવાસી નેભાભાઇ હાજાભાઇ ઓડેદરા (ઉ.વ.૪૦) વાળા ગત તા. ૧૫ ના રોજ વાંકાનેર તાલુકાના પાડધરા ગામની સીમમાં હોટેલના ગ્રાઉન્ડમાં ટ્રક રાખી ટ્રકની કેબીન પર ચડી તાલપત્રી બાંધતા હતા જ્યાં ઉપરથી ૬૬ કેવી ઇલેક્ટ્રિક લાઈન પસાર થતી હોય જેને અડી જતા શોક લાગો હતો જેથી સારવાર માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા પરંતુ સારવાર મળે તે પૂર્વ જ યુવાનનું મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે ચોથા બનાવમાં મૂળ ઝારખંડ હાલ વાંકાનેર તાલુકાના જાલીડા ગામની સીમમાં એન્ટીક કારખાનામાં કામ કરતા અનીતાદેવી પપ્પુસિંહ ઘટવાર (ઉ.વ.૩૨) નામની પરિણીતાને ગત તા. ૧૬ ના રોજ છાતીમાં ગભરામણ થતા છાતીમાં દુખાવો થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસીને મહિલાને મૃત જાહેર કરી હતી વાંકાનેર તાલુકા પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે