Morbi,તા.07
મોરબી તાલુકાના અમરનગર ગામે બોલાચાલીનો ખાર રાખી ચાર ઇસમોએ બે યુવાનોને માર મારી છરી વડે ઈજા પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના શક્તિનગર ગામે રહેતા ચિરાગભાઈ ઘેલાભાઈ મર્યા (ઉ.વ.૨૩) નામના યુવાને આરોપીઓ વિશાલ ધારાભાઇ ભુંભરીયા, ધર્મેન્દ્રસિંહ વનુભા ઝાલા, મનદીપસિંહ મહાવીરસિંહ ઝાલા, ધરમરાજ ઉર્ફે ભાણો રહે બધા અમરનગર તા. મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે ફરિયાદીના ભાઈ સાથે આરોપી વિશાલે બોલાચાલી કરી હતી જેનો ખાર રાખી આરોપીએ ફરિયાદી ચિરાગભાઈને ગાળો આપી ઢીકા પાટું માર મારી તેમજ અન્ય ઇસમોએ આવીને ઢીકા પાટું મારી આરોપી ધરમરાજે ભુપતભાઈને છરી વડે ઈજા કરી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે