ત્રણ મહિલાઓ સહીત ચાર લોકોનું પરિવાર સાથે મિલન કરાવતી શાપર(વે.) પોલીસ
Rajkot,તા.31
રાજકોટ ગ્રામ્ય વિસ્તારના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી પોલીસ સ્ટેશન ખાતે આવતા તમામ અરજદારોને શક્ય હોય તેટલી વધુ મદદ કરી પોલીસ પ્રજાની મિત્ર છે સૂત્રને સાર્થક કરવા જિલ્લા પોલીસવડા હિમકરસિંહ અને ડીવાયએસપી કે જી ઝાલાની સૂચનાને પગલે શાપર વેરાવળ પોલીસ સ્ટેશનના પીઆઇ આર બી રાણા દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થનાર વ્યક્તિઓને શોધી કાઢવા અલગ અલગ ટીમ બનાવી તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો. જે આદેશને પગલે શાપર પોલીસની અલગ અલગ ટીમોએ ટેકનિકલ સોર્સ અને હ્યુમન રિસોર્સના આધારે તપાસ કરી છેલ્લા 15 દિવસમાં ગુમ થયેલી ચાર વ્યક્તિઓને શોધી કાઢી પરિવારજનો સાથે સુખદ મિલન કરાવ્યું હતું.
શાપર પોલીસ દ્વારા રિયાબેન હિતેશભાઈ ગોહેલ (રહે પારડી), સીરત્નાબેન ભીખાભાઈ સાદીયા(રહે વેરાવળ), પ્રિયંકાબેન ડાયાભાઈ સોલંકી (રહે વેરાવળ) અને પ્રકાશભાઈ કિશોરભાઈ સોલંકી (રહે કોઠારીયા સોલવંટ)ને શાપર ખાતે શોધી કાઢવામાં આવ્યા હતા.