Jamnagar,તા.24
જામનગરમાં હિન્દુ સેના આરોગ્ય વિભાગના શહેર પ્રમુખ ડો. ધાત્રી જોશી ( ફિજીયોંથેરાપીસ્ટ અને યોગ ટ્રેનર )ના અધ્યક્ષ સ્થાને હિન્દુ સેનાના સૈનિક તેમજ તેમના પરિવારજનો માટે નિશુલ્ક નેત્ર નિદાન શિબિરનું આયોજન કરવામા આવ્યું હતું. જેમાં વિશાળ સંખ્યામાં લોકો એ લાભ લીધો હતો. આ શિબિર નેત્રદીપ મેક્સી વિઝનના સહયોગથી નિશુલ્ક નેત્ર નિદાન ડો. મયુરીબેન રાઠોડ તેમજ હોસ્પિટલ સ્ટાફના અંજુબેન ત્રિવેદી અને માર્કેટિંગ મેનેજર રાજ શિશાંગીયા દ્વારા આંખની કોઈપણ જાતની તકલીફ કે નંબર કે અન્ય બીમારીના નિદાન માટે સેવા આપી હતી. આ નેત્ર નિદાન શિબિરમાં હિન્દુ સેનાના શહેર ઉપપ્રમુખ મેહુલ મહેતા તેમજ પૂર્વ યુવા પાંખના પ્રમુખ યશાંક ત્રિવેદી દ્વારા સંપૂર્ણ શિબિર આયોજનમાં મુખ્ય રહી, પુર્ણકાલીન કિશન નંદા, કોશાધ્યક્ષ મંથન અઘેરા દ્વારા 12૨-દિગ્વિજય પ્લોટ માં હિન્દુ સેના કાર્યાલયમાં વ્યવસ્થા ઉભી કરી હતી. આ શિબિર દરમિયાન હિન્દુ સેનાના ગુજરાત પ્રમુખ પ્રતીક ભટ્ટ, સૌરાષ્ટ્ર મંત્રી મયુર ચંદન, શહેર સહમંત્રી સંજય ધનવાણી, યુવા ઉપપ્રમુખ જીલ બારાઈ, ઓમ ભાનુશાળી, કરણ દવે સહિત અનેક સૈનિકો એ શિબિરને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.