ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર બાંદ્રા ટમનસ-ભાવનગર સ્પેશિયલ ટ્રેન (નં. ૦૯૨૦૭) જે અગાઉ તા. ૨૭ જૂન સુધી અધિસૂચિત કરાઈ હતી, તેને હવે તા. ૧૫ ઓગસ્ટ સુધી લંબાવાઈ છે. તેવી જ રીતે, ભાવનગર-બાંદ્રા ટમનસ સ્પેશિયલ ટ્રેન (નં.૦૯૨૦૮) જે અગાઉ તા. ૨૬ જૂન સુધી અધિસૂચિત કરાઈ હતી, તેને હવે તા. ૧૪ ઓગસ્ટ સુધી લંબાવાઈ છે. ઉપરોક્ત બંને ટ્રેનો માટે ટિકિટ બુકિંગ શરૂ છે. તો ગાંધીગ્રામ-બોટાદ ટ્રેન (નં. ૦૯૨૧૧) અને બોટાદ-ગાંધીગ્રામ ટ્રેન (નં. ૦૯૨૧૨) અગાઉ તા. ૩૦ જૂન સુધી અધિસૂચિત કરાઈ હતી, તે હવે તા. ૩૦ સપ્ટેમ્બર સુધી લંબાવાઈ છે.
એ જ રીતે ભાવનગર-ગાંધીગ્રામ ટ્રેન (નં. ૦૯૨૧૬) અને ગાંધીગ્રામ-ભાવનગર ટ્રેન (નં. ૦૯૨૧૫) જે પણ અગાઉ તા. ૩૦ જૂન સુધી અધિસૂચિત કરાઈ હતી, તેને હવે તા. ૩૦ સપ્ટેમ્બર સુધી લંબાવાઈ છે. જ્યારે ભાવનગર-ધોળા ટ્રેન (નં. ૦૯૫૩૦) અને ધોળા-ભાવનગર ટ્રેન (નં. ૦૯૫૨૯) જે અગાઉ તા. ૩૦ જૂન સુધી અધિસૂચિત કરાઈ હતી, તેને હવે તા. ૩૦ સપ્ટેમ્બર સુધી લંબાવાઈ છે.