તે ૧૨ જૂન ૨૦૨૫ સુધી જાહેર કરાયેલી ટિકિટો માટે લાગુ
Ahmedabad, તા.૧૨
સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એપોર્ટના અધિકારીઓએ ગુરુવારે કહ્યું કે, એર ઇન્ડિયાનું લંડન જઈ રહેલું વિમાન એઆઈ ૧૭૧ અમદાવાદ એરપોર્ટ પાસે દુર્ઘટનાગ્રસ્ત થયા પછી તમામ ફ્લાઇટ્સનું ઓપરેશન અસ્થાયી રૂપે સ્થગિત કરી દેવામાં આવ્યું છે. આ દરમિયાન ટાટા ગ્રુપના માલિકી હક ધરાવતી એરલાઇન એર ઇન્ડિયાએ મોટો નિર્ણય લીધો છે.
કંપનીએ અમદાવાદથી કે અમદાવાદ માટે ૧૨-૧૪ જૂન ૨૦૨૫ વચ્ચે બુક કરેલા યાત્રિકો માટે એક વારની રિશેડ્યુલિંગ ફી અને ભાડા અંદરની માફીની જાહેરાત કરી છે. તે ૧૨ જૂન ૨૦૨૫ સુધી જાહેર કરાયેલી ટિકિટો માટે લાગુ છે. આ દરમિયાન કરવામાં આવેલા બુકિંગને જે લોકો રદ કરવા માગે છે, તેના માટે સંપૂર્ણ કેન્સલેશન ફી માફ કરી દેવામાં આવશે.
અમદાવાદ પ્લેન ક્રેશ બાદ શોક વ્યક્ત કરતા ટાટા ગ્રુપની એરલાયન એર ઇન્ડિયાએ સોશિયલ મીડિયા હેન્ડલ જેમ કે ઇન્સ્ટાગ્રામ તેમજ એક્સ અને વેબસાઇટ બ્લેક કરી નાખ્યું છે. એર ઇન્ડિયાએ પોતાની સત્તાવાર એક્સ અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર લોગોની જગ્યાએ બ્લેક કરી નાખ્યું છે. જ્યારે, વેબસાઇટના હોમ પેજ પર છૈં ૧૭૧ બ્લેક થીમ સાથે અંકિત કરવામાં આવ્યું છે. દુર્ઘટના બાદ એર ઇન્ડિયાએ એઆઈ ૧૭૧ માટે ઇમરજન્સી હેલ્પલાઇન નંબર ૧૮૦૦ ૫૬૯૧ ૪૪૪ જાહેર કર્યો છે. આ ઉપરાંત વિદેશી નાગરિકો માટે એક અલગ હેલ્પલાઇન નંબર +૯૧ ૮૦૬૨૭૭૯૨૦૦ જાહેર કરી દેવામાં આવ્યો છે. જેથી તે પણ જરૂરી જાણકારી મેળવી શકે.
એર ઇન્ડિયાએ મીડિયાને અપીલ કરી છે કે, તે આ હેલ્પલાઇન નંબરો પર કોલ કરે. કેમ કે તે માત્ર પીડિત મુસાફરો અને તેના પરિવારજનો માટે અનામત છે. મીડિયાને જાણકારી માટે સત્તાવાર પ્રવક્તા કે સૂચના સાથં સંપર્ક કરવાનું કહેવામાં આવ્યું છે.