Rajkot,તા.20
શહેરના મોટી ટાંકી ચોકમાં ઓટો ગેરેજ સંચાલકે ઉંદર મારવાની દવા પી લેતા સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવૅલ ત્યાં “સમયસર” ની સારવારથી ભયમુક્ત જાહેર કરવામાં આવ્યો હતો, આ અંગેની પોલીસ માંથી પ્રાપ્ત થતી વિગત મુજબ સદર બજાર શ્રીકૃષ્ણ ચોક ,પરમાર ચોક માં રહેતા મલય દિલીપભાઈ,,(૪૮) એ આજે સવારે પોતાના ઘરે જ ઊંદર મારવાની દવા પી લેતા સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા,મલય ભાઈ મોટી ટાંકી ચોકમાં કૃષ્ણઑટો નામ નું ઓટો ગેરેજ ચલાવે છે છેલ્લા કેટલાક સમયથી ધંધામાં મંદિર હોવાથી નિરાશ થઈ હતી દવા પીધી હોવાનો પારિવારિક સૂત્રોએ જણાવ્યું હતું આ લખાઈ રહ્યું છે ત્યારે સમયસર ની સારવારને લઈને ભય મુક્ત જાહેર કરવામાં આવેલ છે