Veraval,તા.17
સોમનાથ જીલ્લાના વડામથક વેરાવળમા રાયચુરા ફાઉન્ડર દ્રારા પાઁવરણ ની જાળવણી સાથે લોકોને રોજગારીની નવી તકો ઉભી થાય તે માટે એક નવી પહેલ શરુ કરાઈ છે જે અંતર્ગત એક સેમિનાર નુ આયોજન કરાયુ વધતી જતી મોંઘવારી અને વધતી જતી વસ્તીના લીધે દેશમા બેરોજગારોની સંખ્યામા પણ દિવસે ને દિવસે વધારો થઈ
રહ્યો છે ત્યારે આ બાબતે સરકાર દ્રારા રોજગારી આપવાના પ્રયાસ થઈ રહ્યા છે પરંતુ ગીરસોમનાથ જીલ્લાની તાલાલાગીર પંથક ની રાયચુરા કંપની દ્રારા પણ યુવાનોને રોજગારી અને આવકના નવા શ્રોત ઉભા થાય તે માટે એક અનોખી પહેલ કરવામાં આવી છે ત્યારે વેરાવળ મા ખાનગી પાર્ટી પ્લોટ ખાતે રોજગારી આપવા અને લોકોને માહિતગાર કરવા માટે એક ભવ્ય સેમિનાર નુ આયોજન કરવામા આવેલ હતુ જેમા નામાંકિત મોટીવેશન સ્પીકર ની પણ ઉપસ્થિતી રહી હતી . આ કંપની દ્રારા પર્યાવરની જાળવણી સાથે વેપાર અને વેપાર કરેલ નાણા ફરી પાછા ગ્રાહક ને પરત આપવાની નેમ લીધી છે ત્યારે ૧૦૦૦ થી વધુ લોકોને હાલમા પણ રોજગારી આપી
રહેલ રાયચુરા કંપની હવે તેમના ગ્રોથમા વધારો કરીને મોટા ભાગના ગુજરાતભરના લોકોને રોજગારી મળે તેના માટે અનોખી પહેલ કરી છે જે માટે યોજાયેલ સેમિનાર મા હજજારોની, પત્રકારો સહીત જનમેદની ઉમટી પડી હતી.આ સંદર્ભ મિહિર રાયચુરા જે રાયચુરા કંપની ના ફાઉન્ડર છે તેમણે પત્રકાર પરિષદ મા સમગ્ર માહીતી આપી હતી.