કતારગામના જ્ઞાનબાગ પાર્ટી પ્લોટ ખાતે લગ્નમાં રાસ રમતી વખતે ૨૭ વર્ષીય પરિણીતાનું અચાનક હાર્ટએટેક આવવાથી મોત નીપજ્યું છે
Bhavnagar,તા.૭
ભાવનગરમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે, જેમાં કતારગામના જ્ઞાનબાગ પાર્ટી પ્લોટ ખાતે લગ્નમાં રાસ રમતી વખતે ૨૭ વર્ષીય પરિણીતાનું અચાનક હાર્ટએટેક આવવાથી મોત નીપજ્યું છે.
મૂળ ભાવનગર જિલ્લાના વલ્લભીપુરના વતની અને હાલમાં કતારગામની હરિઓમ મિલની સામે ગોપીનાથ સોસાયટીમાં રહેતા રત્નકલાકાર ચિરાગ જાંબુડીયા તેમના પત્ની હિલોની (ઉં.વ. ૨૭) સાથે રવિવારે રાત્રે એક મિત્રના લગ્ન પ્રસંગે દાંડિયા રાસમાં ગયા હતા. રાસ રમતી વખતે હિલોની અચાનક બેભાન થઈને પડી ગઈ હતી. તાત્કાલિક સારવાર માટે તેમને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
પ્રાથમિક તપાસમાં હિલોનીનું મોત હાર્ટએટેકના કારણે થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ દુઃખદ ઘટનાથી પરિવાર અને મિત્રોમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે.