વરસાદી વાતાવરણમાં ઘર પાસે રમતી કિંજલ અર્થિંગ વાયરને અડી જતા વીજ કરંટથી મોત મળ્યું
Rajkot,તા.17
શહેરમાં વરસાદી વાતાવરણ ના પ્રારંભમાં વીજ કરંટ લાગવાથી ભોગ લેવાયાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ અંગે પ્રાપ્ત વિગત મુજબ ગાંધીગ્રામ 2 પોલીસ મથક ની હદમાં આવેલ રૈયાધાર મફતીયા પરા, મચ્છુનગર માં ગઈકાલે સાંજે સાડા પાંચ વાગ્યા ને આસપાસ ઘર પાસે શેરીમાં માતા ની હાજરીમાં રમી રહેલી ચાર વર્ષ ફૂલ જેવી બાળકી કિંજલબેન જીવનભાઈ ડઢાણીયા રમતા રમતા શેરીના વીજ થાંભલા ના અર્થિંગ વાયરને અડી જતા વીજ કરંટ નો જોરદાર આંચકો લાગતા કિંજલ ઘટના સ્થળે બેભાન થઈને ઢળી પડી હતી, અને બેભાન હાલતમાંજ જનાના હોસ્પિટલમાં લાવવામાં આવતા ફરજ પરના તબીબો એ મૃત જાહેર કરી હતી, મચ્છુનગરમાં રહેતા જીવનભાઈ ડઢાણીયા ને બે બાળકોમાં કિંજલ મોટી હતી નાનાભાઈ સાથે શેરીમાં રમતી કિંજલ ને અચાનક મોત મળતા માતાના કરુણ કલ્પનાથી વાતાવગી ગંમગીન બન્યું હતું આ અંગે યુની પોલીસ સ્ટેશન ના એએસઆઇ હિતેશભાઈ જોરુભા જોગડા તપાસ કરી રહ્યા છે