Morbi,તા.03
વાંકાનેરમાં રહેતી ૨૦ વર્ષની યુવતીને માતાએ ઘરકામ બાબત ઠપકો આપતા ઝઘડો થયો હતો અને મનમાં લાગી આવતા યુવતીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો
વાંકાનેર વિશીપરામાં શંકર મંદિર વાળી શેરીમાં રહેતા હેતલબેન પ્રવીણભાઈ રાઠોડ (ઉ.વ.૨૦) નામની યુવતીએ પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો બનાવને પગલે પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો વાંકાનેર સીટી પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક હેતલબેનને તેના મમ્મીએ સવારે ઘરકામ બાબતે ઠપકો આપ્યો હતો અને માતા દીકરી વચ્ચે બોલાચાલી થઇ હતી જેથી મનમાં લાગી આવતા યુવતીએ આપઘાત કરી લીધાનું ખુલ્યું છે વાંકાનેર સીટી પોલીસે આપઘાતના બનાવ મામલે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે