Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    CMના અધ્યક્ષસ્થાને ‘જમીન વહીવટ અને આપત્તિ વ્યવસ્થાપન’ ઉપર બે દિવસીય રાષ્ટ્રીય સંમેલન

    October 2, 2025

    Vadodara ના લાલબાગ બ્રિજ પર દુર્ઘટના, બુલેટ સ્લિપ થતા રેલિંગ તોડી યુવકનું મોત

    October 2, 2025

    CM દ્વારા પોતાના સુરક્ષા પોલીસ જવાનો સાથે Vijaya Dashamiના પાવન પર્વે શસ્ત્ર પૂજન કર્યું

    October 2, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • CMના અધ્યક્ષસ્થાને ‘જમીન વહીવટ અને આપત્તિ વ્યવસ્થાપન’ ઉપર બે દિવસીય રાષ્ટ્રીય સંમેલન
    • Vadodara ના લાલબાગ બ્રિજ પર દુર્ઘટના, બુલેટ સ્લિપ થતા રેલિંગ તોડી યુવકનું મોત
    • CM દ્વારા પોતાના સુરક્ષા પોલીસ જવાનો સાથે Vijaya Dashamiના પાવન પર્વે શસ્ત્ર પૂજન કર્યું
    • Dussehra એ સચિવાલયથી મહાત્મા મંદિર સુધી મેટ્રો રેલનો સફળ ટ્રાયલ રનપનૂતન વર્ષથી શુભારંભ
    • Himmatnagar ની હાથમતી કેનાલમાં તણાયેલા યુવકનો આખરે ૨૪ કલાક બાદ મૃતદેહ મળ્યો
    • જો પાકિસ્તાન તરફથી સર ક્રીક વિસ્તારમાં કોઈ હિમાતક કરવામાં આવશે તો તેનો કડક જવાબ આપીશુ ,Rajnath Singh
    • Gujarat Pradesh BJP પ્રમુખની ચૂંટણીનો કાર્યક્રમ જાહેરઃ ૪ ઓક્ટોબરે થશે નવા નામની જાહેરાત
    • Rajkot ની નામાંકિત ધોળકિયા સ્કૂલના ત્રણ વિદ્યાર્થીઓ ગુમ થતા ખળભળાટ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, October 3
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ધાર્મિક»નવરાત્રિ દરમિયાન કરવામાં આવતી Navadurga ની ઉપાસનાનો મહિમા
    ધાર્મિક

    નવરાત્રિ દરમિયાન કરવામાં આવતી Navadurga ની ઉપાસનાનો મહિમા

    Vikram RavalBy Vikram RavalOctober 9, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    દુર્ગે સ્મૃતા હરસિ ભીતિમશેષ જન્તો :

    સ્વસ્થૈ: સ્મૃતા મતિમતી વ શુભાં દદાસિ ।

    દારિદ્રય દુ:ખ ભયહારિણી કા ત્વદન્ય ।

    સર્વોપકારકરણાય સદાર્દ્રચિત્તા ।।

    હે દેવી દુર્ગા ! તમે સ્મરણ કરવામાં આવે ત્યારે બધા પ્રાણીઓનો ભય હરી લો છો અને સ્વસ્થ પુરુષો દ્વારા ચિંતન કરવામાં આવે ત્યારે તેમને પરમ કલ્યાણમયી બુદ્ધિ પ્રદાન કરો છો. દુ:ખ, દરિદ્રતા અને ભય હરનારા દેવી તમારા વિના બીજું કોણ છે જેમનું ચિત્ત બધા પર ઉપકાર કરવા માટે હમેશાં કરુણાર્દ્ર રહેતું હોય !

    – દુર્ગા સપ્તશતી, અધ્યાય-૪, શ્લોક-૧૭

    નવરાત્રિ એ શક્તિપૂજાનું પર્વ છે. શાસ્ત્રો પ્રમાણે નવરાત્રિ પર્વ વર્ષમાં ચાર વાર આવે છે. એમને વાસંતિક, આષાઢીય, શારદીય અને માધીય નવરાત્રિ કહે છે. આમાં ચૈત્રીય અને શારદીય એટલે કે આશ્વિની નવરાત્રિ વધારે પ્રસિદ્ધ અને મહિમાવાન ગણાય છે. બાકીની બે નવરાત્રિઓને ‘ગુપ્ત નવરાત્રિ’ કહેવાય છે. શારદીય નવરાત્રિમાં દુર્ગાપૂજા મહાપૂજા તરીકે ઓળખાય છે. આ નવ પુણ્યરાત્રિઓ દરમિયાન ત્રણ દેવીઓ પાર્વતી, લક્ષ્મી અને સરસ્વતીના નવ સ્વરૂપોની પૂજા થાય છે જેમને નવદુર્ગા કહેવામાં આવે છે. આદ્યાશક્તિના લોકકલ્યાણકારી રૂપને દુર્ગા કહેવાય છે. તંત્ર, આગમ તેમને ‘દુર્ગા દુર્ગતિનો નાશ કરનારી અને દુ:ખને દૂર કરનારી મહાદેવી છે. દુર્ગા સપ્તશતીના ચોથા અધ્યાય શક્રાદય સ્તુતિમાં પણ તેમને ‘દારિદ્રય દુ:ખભયહારિણી દરિદ્રતા, દુ:ખ અને ભયને હરી લેનારા કહેવાયા છે. તે રીતે ‘દુર્ગાસિ દુર્ગ ભવસાગર નૌરસઙગા દુર્ગમ ભવસાગરથી પાર ઉતારનારી નૌકાનું રૂપક પણ અપાયું છે. દુર્ગા દેવી માટે કહેવાયું છે- સૈષા પ્રસન્ના વરદા નૃણાં ભવતિ મુક્તયૈ । તે પ્રસન્ન થાય છે ત્યારે મનુષ્યોને વરદાન આપનારા બનીને મુક્તિ પ્રદાન કરે છે.

    શક્રાદય સ્તુતિના નવમા શ્લોકમાં કહેવાયું છે- યા મુક્તિહેતુરવિચિન્ત્ય મહાવ્રતા ત્વં અભ્યસ્યસે સુનિયતેનિદ્રયતત્ત્વસારૈ : । મોક્ષાર્થિભિર્મુનિ ભિરસ્ત સમસ્તદૌષૈર્વિધાસિ સા ભગવતિ પરમા હિ દેવી ।। હે દેવી । તે વિદ્યા જે મોક્ષ આપનારી છે, જે અચિન્ત્ય મહાજ્ઞાાન સ્વરૂપા છે તત્ત્વોના સારને વશમાં કરનારા, સંપૂર્ણ દોષોને દૂર કરનારા, મોક્ષની ઇચ્છાવાળા મુનિજન જેનો અભ્યાસ કરે છે તે તમે જ છો.

    નવરાત્રિ દરમિયાન નવદુર્ગાના આ નવ સ્વરૂપોની પૂજા કરાય છે- પ્રથમાં શૈલપુત્રી દ્વિતીયં બ્રહ્મચારિણી, તૃતીયં ચંદ્રઘંટેતિ, કૃષ્માણ્ડેતિ ચુતર્થકમ્, પંચમં સ્કંદમાતેતિ ષષ્ઠં કાત્યાયનીતિ, સપ્તમં કાલરાત્રીતિ, મહાગૌરીતિ ચાષ્ટમમ્, નવમં સિદ્ધિદાત્રી ચ નવદુર્ગા પ્રકીર્તિત ।। શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘણ્ટા, કુષ્માણ્ડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી અને સિદ્ધિદાત્રી નામના આ નવ સ્વરૂપો નવરાત્રિ દરમિયાન પૂજા સાથે આરાધના કરાય છે. મંત્ર, તંત્ર અને યંત્રના માધ્યમથી શ્રદ્ધા-ભક્તિપૂર્વક કરાતી નવરાત્રિના નવ દિવસોની દુર્ગા મહાપૂજા તમામ ઇચ્છાઓ પૂરી કરી અગણિત વરદાનો પ્રદાન કરે છે.

    દુર્ગા દેવી દયાર્દ્ર, કરુણાદ્ર અને કૃપા પરિપૂર્ણ છે એટલે ભક્તો માટે જે કલ્યાણકારી છે તે તેમના વગર માગ્યે આપી દે છે. તેમના આ ગુણ માટે શાસ્ત્રમાં કહેવાયું છે- ‘ ઇચ્છાધિકમપિ સમર્થા વિતરણે- દુર્ગાદેવી ઇચ્છાથી પણ વધારે ફળ આપવા સમર્થ છે. ‘ દેવી ભાગવતમાં દુર્ગાદેવી કહે છે કે આખા જગતમાં શક્તિરૂપે હું જ વ્યાપેલી છું. ‘સર્વ દેવમયી દેવી સર્વદેવીમયં જગત । અતોડહૂં વિશ્વરૂપાંત્વાં નમામિ પરમેશ્વરીમ્ ।। દેવી દુર્ગા સર્વદેવયુક્ત છું. તે પરમેશ્વરીને હું નમન કરું છું. દુર્ગા સપ્તશતીના અગિયારમા અધ્યાયના છઠ્ઠા શ્લોકમાં ભગવાન પોતે કહે છે- ‘સ્ત્રિય: સમસ્તાં સકલા જગત્સુ । હે દેવી ! બધી સ્ત્રીઓ દેવી સ્વરૂપ છે.’ આપણા સાસ્ત્રોની આ વાત સ્ત્રી-મહિમાને કેટલી ગૌરવાન્વિત કરે છે. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા । નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ ।। જે દેવી સર્વ પ્રાણીઓમાં શક્તિ રૂપે રહેલા છે તેમને નમસ્કાર હો, નમસ્કાર હો, નમસ્કાર હો. વારંવાર નમસ્કાર હો.

    Navadurga
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ધાર્મિક

    Deepotsav પાંચ દિવસનો તહેવાર છે. આ તહેવાર ધનતેરસથી શરૂ થાય છે

    October 2, 2025
    લેખ

    દશરથ-દશાનન અને દશેરાનો આધ્યાત્મિક અર્થ

    October 2, 2025
    લેખ

    Ravana શાસ્ત્રોનો વિદ્વાન હતો, અને તેના ૧૦ માથા તેની શક્તિનું પ્રતિનિધિત્વ કરતા હતા

    October 1, 2025
    લેખ

    Navratri ના નવમા નોરતે ર્માં સિદ્ધિદાત્રીની ઉપાસના કરીએ

    September 30, 2025
    ધાર્મિક

    કરવા ચોથનો ચંદ્ર આ વર્ષે શરૂઆતમાં દેખાશે

    September 30, 2025
    ધાર્મિક

    દુઃખ અને ગરીબી દૂર કરવા માટે Dussehra પર વસ્તુઓનું દાન કરો

    September 29, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    CMના અધ્યક્ષસ્થાને ‘જમીન વહીવટ અને આપત્તિ વ્યવસ્થાપન’ ઉપર બે દિવસીય રાષ્ટ્રીય સંમેલન

    October 2, 2025

    Vadodara ના લાલબાગ બ્રિજ પર દુર્ઘટના, બુલેટ સ્લિપ થતા રેલિંગ તોડી યુવકનું મોત

    October 2, 2025

    CM દ્વારા પોતાના સુરક્ષા પોલીસ જવાનો સાથે Vijaya Dashamiના પાવન પર્વે શસ્ત્ર પૂજન કર્યું

    October 2, 2025

    Dussehra એ સચિવાલયથી મહાત્મા મંદિર સુધી મેટ્રો રેલનો સફળ ટ્રાયલ રનપનૂતન વર્ષથી શુભારંભ

    October 2, 2025

    Himmatnagar ની હાથમતી કેનાલમાં તણાયેલા યુવકનો આખરે ૨૪ કલાક બાદ મૃતદેહ મળ્યો

    October 2, 2025

    જો પાકિસ્તાન તરફથી સર ક્રીક વિસ્તારમાં કોઈ હિમાતક કરવામાં આવશે તો તેનો કડક જવાબ આપીશુ ,Rajnath Singh

    October 2, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    CMના અધ્યક્ષસ્થાને ‘જમીન વહીવટ અને આપત્તિ વ્યવસ્થાપન’ ઉપર બે દિવસીય રાષ્ટ્રીય સંમેલન

    October 2, 2025

    Vadodara ના લાલબાગ બ્રિજ પર દુર્ઘટના, બુલેટ સ્લિપ થતા રેલિંગ તોડી યુવકનું મોત

    October 2, 2025

    CM દ્વારા પોતાના સુરક્ષા પોલીસ જવાનો સાથે Vijaya Dashamiના પાવન પર્વે શસ્ત્ર પૂજન કર્યું

    October 2, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.