Jamnagar તા ૨
જામનગરની સરકારી જી.જી હોસ્પિટલમાં એક બાથરૂમની બાજુમાંથી ૫૦ વર્ષ ની વયના પ્રૌઢ મહિલા બેશુદ્ધ હાલતમાં મળી આવ્યા હતા.
જે બનાવ બાદ સામાજિક કાર્યકર હિતેશગીરી લાલગીરી ગોસાઈ દ્વારા તેણીને સારવાર માટે ખસેડવાનો પ્રયત્ન કરતાં ઉપરોક્ત અજ્ઞાત મહિલા નું મૃત્યુ નીપજ્યું હોવાનું તબીબો દ્વારા જાહેર કરાયું હતું. મૃતક મહિલા ની ઓળખ થઈ શકી નથી, અને કોઈ વાલી વારસદાર ન હોવાના કારણે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ના કોલ્ડ રૂમમાં રાખ્યો છે. સીટી બી. ડિવિઝનના પી.એસ.આઇ. જે.પી. સોઢા વધુ તપાસ ચલાવી રહ્યા છે.